PM Modi Speaks to Donald Trump:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવની વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ યુદ્ધ શરૂ થયા બાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ વાતચીત છે, જેમાં વૈશ્વિક અર્થતંત્ર માટે જીવનરેખા સમાન ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) ને સુરક્ષિત રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
PM Modi Speaks to Donald Trump:પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે કયા મુદ્દે થઈ ચર્ચા?
અમેરિકી રાજદૂત સર્જિયો ગૌર અને પીએમ મોદીએ સોશિયલ મીડિયા દ્વારા આ ઐતિહાસિક વાતચીતની પુષ્ટિ કરી છે:
- સ્ટ્રેટ ઓફ હોર્મુઝ: બંને નેતાઓએ સ્વીકાર્યું કે વિશ્વના વેપાર અને ઊર્જા પુરવઠા માટે આ માર્ગ ખુલ્લો રહેવો અનિવાર્ય છે.
- શાંતિની પુનઃસ્થાપના: પીએમ મોદીએ ભારતનો પક્ષ રાખતા કહ્યું કે, ભારત આ વિસ્તારમાં તણાવ ઘટાડવા અને વહેલી તકે શાંતિ સ્થપાય તેવું ઈચ્છે છે.
- સતત સંપર્ક: ભારત અને અમેરિકા મધ્ય પૂર્વની સ્થિતિ પર સતત એકબીજાના સંપર્કમાં રહેશે તેવી ખાતરી આપવામાં આવી છે.
રાજ્યસભામાં પીએમ મોદીનું સંબોધન: “વ્યાપારી જહાજો પર હુમલા અસ્વીકાર્ય”
આજે 24 માર્ચના રોજ રાજ્યસભામાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયાના સંકટ પર ભારતની રણનીતિ સ્પષ્ટ કરી:
- ડિપ્લોમેસીનો માર્ગ: પીએમએ કહ્યું કે ભારત ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા ત્રણેય સાથે સતત વાતચીત કરી રહ્યું છે જેથી જહાજોની અવરજવર અટકે નહીં.
- ઊર્જા સંકટ: યુદ્ધને ત્રણ સપ્તાહ વીતી ગયા હોવાથી વિશ્વમાં ઊર્જા સંકટ ઊભું થયું છે, જેની સીધી અસર ભારતના વેપાર અને તેલના પુરવઠા પર પડી રહી છે.
- ભારતીયોની સુરક્ષા: ગલ્ફ દેશોમાં વસતા 1 કરોડથી વધુ ભારતીયોની સુરક્ષા ભારત માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. યુદ્ધમાં કેટલાક ભારતીયોના નિધન પર પીએમએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
આ પણ વાંચો :ટીમ ઈન્ડિયા’ની કસોટી, PM મોદીએ રાજ્યસભામાં વૈશ્વિક શાંતિનો હુંકાર કર્યો




