Home Desh Pm modi:ઇન્ડિગો સંકટ વચ્ચે PM મોદીની ચેતવણી: જનતાને તકલીફરૂપ નિયમો તાત્કાલિક દૂર...

Pm modi:ઇન્ડિગો સંકટ વચ્ચે PM મોદીની ચેતવણી: જનતાને તકલીફરૂપ નિયમો તાત્કાલિક દૂર કરો

0
346
Pm modi

Pm modi:દિલ્હીમાં યોજાયેલી NDA સાંસદોની મહત્વપૂર્ણ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નિયમ-કાયદાઓ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. દેશમાં ચાલી રહેલા ઈન્ડિગો એરલાઈન સંકટ વચ્ચે આવેલું આ નિવેદન ખાસ ચર્ચાસ્પદ બન્યું છે.

કેન્દ્રીય મંત્રી઼ કિરેન રિજિજૂએ બેઠક બાદ માહિતી આપી કે પીએમ મોદીએ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું કે સરકારના નિયમો અને કાયદાઓનો હેતુ જનતાની મદદ કરવો છે, પરેશાની પેદા કરવી નહીં.

download 36

Pm modi: “કાયદા સિસ્ટમ સુધારવા માટે છે, લોકો મુશ્કેલીમાં મુકવા માટે નહીં” – PM મોદી

“પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કાયદા અને નિયમો સારા છે, પરંતુ તે સિસ્ટમને વધુ સારું બનાવે તેવા હોવા જોઈએ. કોઈપણ એવો નિયમ કે કાયદો ન હોવો જોઈએ, જેનાથી એક પણ ભારતીયને સરકારથી તકલીફ પડે.”

વડાપ્રધાન મોદીએ સાંસદોને માત્ર આર્થિક સુધારણા નહીં પરંતુ લોકોના દૈનિક જીવનમાં સુધારો લાવવાની પણ ખાસ સલાહ આપી.

Pm modi: ઈન્ડિગો સંકટનો પૃષ્ઠભૂમિ

download 24 3

દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. કંપની દરરોજ સેંકડો ફ્લાઇટ રદ કરી રહી છે, જેના કારણે લાખો મુસાફરો પરેશાન થઈ ગયા છે.

ઈન્ડિગોએ પોતાના સંકટ માટે—

  • ટેકનિકલ સમસ્યાઓ
  • અને સરકારના નવા રોસ્ટર નિયમો
    જવાબદાર ગણાવ્યા છે.

 સેંકડો ફ્લાઇટ્સ રદ – દેશભરમાં મુસાફરો હલવાયા

મંગળવારે (9 ડિસેમ્બર):

  • દિલ્હી એરપોર્ટ: ઓછામાં ઓછી 13 ફ્લાઇટ્સ રદ
  • અમદાવાદ એરપોર્ટ: સવારે 8 વાગ્યા સુધી 16 ફ્લાઇટ્સ રદ
  • બેંગ્લુરુ અને હૈદરાબાદમાંથી લગભગ 180 ફ્લાઇટ્સ રદ

આ કારણે મુસાફરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો.

download 36 1

Pm modi: ઈન્ડિગોની સમયસૂચીમાં ફેરફારની શક્યતા

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું કે:

  • ઈન્ડિગોની શિયાળાની સમયપત્રકની કેટલીક ફ્લાઇટ્સ અન્ય ભારતીય એરલાઈનને સોંપવાની શક્યતા છે.
  • સરકાર ઈન્ડિગોના સ્લોટમાં ઘટાડો કરી શકે છે.

રાહુલ ભાટિયા દ્વારા સંચાલિત ઈન્ડિગો દૈનિક 2,200 થી વધુ ફ્લાઇટ્સ 90+ સ્થાનિક અને 40+ આંતરરાષ્ટ્રીય સ્થળોએ ઓપરેટ કરે છે.

આ પણ વાંચો :Rajkumar Jat Death Mystery:SIT હાઈકોર્ટમાં રિપોર્ટ કરશે રજૂ, ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ FSLમાં શરૂ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે