Patan news : કિર્તિદાન-રાજભાના ડાયરામાં ઉદારતાનો પ્રવાહ: કરોડો રૂપિયાનું દાન એકત્ર

0
142
Patan news
Patan news

Patan news : પાટણમાં ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં ભવ્ય જમાવટ જોવા મળી હતી. પ્રસિદ્ધ કલાકારો કિર્તિદાન ગઢવી, રાજભા ગઢવીએ ભજનોની રમઝટ બોલાવતા ઉપસ્થિત જનમેદની મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. ભજનોની વચ્ચે દર્શકોએ આનંદમાં આવી 50, 100 અને 500 રૂપિયાની ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. થોડા જ સમયમાં આખું સ્ટેજ રૂપિયાથી ઊભરાયું હતું.

Patan news

Patan news :  ગૌશાળા માટે લોકડાયરાનું આયોજન

પાટણના અનાવાડામાં વૈદિક સરસ્વતી નદીના કિનારે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથાના છઠ્ઠા દિવસે ખાસ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકકલાના આ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

Patan news :  નોટોનો વરસાદ — ભક્તિ અને ઉદારતા એકસાથે

Patan news

લોકડાયરામાં પ્રેક્ષકો એટલા ઉત્સાહિત થયા કે કલાકારોના ભજનોની વચ્ચે નોટો વરસાવી દીધી. અનેક લોકોએ રાસ-ગરબા કરીને પણ કાર્યક્રમને રંગીન બનાવ્યો. મળેલી માહિતી મુજબ ગૌમાતા અને ગૌશાળાના કાર્યો માટે કરોડો રૂપિયાનું દાન એકત્ર થયું છે. આ રકમ સીધી જ હરિઓમ ગૌશાળા હોસ્પિટલના કાર્યમાં ખર્ચવામાં આવશે.

 સતત ચાલી રહી છે ભાગવત કથા

Screenshot 2025 12 07 132444

અનાવાડામાં રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથામાં રાજ્યના આગેવાનો પણ જોડાયા હતા. કથાના ચોથા દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ હાજરી આપી હતી. તેમણે ગૌમાતાના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

 આધ્યાત્મિકતા અને લોકકલાનો સુમેળ

આ સમગ્ર કાર્યક્રમમાં ભક્તિ, લોકકલા અને ઉદારતાનો અનોખો સંગમ જોવા મળ્યો. ગૌમાતા અને માનવસેવાના આ અનોખા ઉપક્રમને લઈને સમગ્ર વિસ્તારમાં પ્રશંસાનો માહોલ છે.

વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

ED to Launch Major Crackdown:EDની કેવડિયા બેઠકમાં મોટો નિર્ણય: મની લોન્ડરિંગ સામે AI આધારિત અભિયાન