સુદાનમાં ફસાયેલા લોકોને પરત લાવવા ઓપરેશન કાવેરી

0
56

સુદાનમાં ચાલી રહેલા ગૃહ યુધ્ધમાં ફસાયેલા  ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન કાવેરી ચલાવવામાં આવી રહ્યું છે. ફસાયેલા 278 ભારતીયોની પ્રથમ બેચ INS સુમેધા દ્વારા ઓપરેશન કાવેરી હેઠળ જેદ્દાહ રવાના થયું છે.આ ઓપરેશન હેઠળ ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યાં છે.અને બચાવેલા ભારતીયોની તસ્વીરો પણ સોશ્યિલ મીડિયામાં શેર કરવામાં આવી છે. સુદાનમાં ચાલી રહેલા ગૃહ યુધ્ધમાં છેલ્લા ત્રણ દિવસથી યુધ્ધ વિરામની પણ જાહેરાત કરવામાં આવી છે.