Nomophobia : દિવસ-રાત ફોન ઉપયોગ કરતા હોય તો ચેતી જજો, આ ગંભીર બીમારી થવા માટે ફોન મુખ્ય જવાબદાર  

0
178
Nomophobia
Nomophobia

Nomophobia : જે રીતે આપણે દિવસ-રાત સ્માર્ટફોનમાં ખોવાઈ જઈએ છીએ, તે આપણા સ્વાસ્થ્યને ગંભીર અને ખતરનાક નુકસાન પહોંચાડી રહ્યું છે. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે સતત ફોનનો ઉપયોગ કરવો કે મોબાઈલ ફોન વગર એક ક્ષણ પણ જીવી ન શકવાથી ‘નોમોફોબિયા (Nomophobia) ‘ નામની બીમારી થઈ શકે છે. આ એટલી ખતરનાખ છે કે તે શરીરને રોગોનું ઘર બનાવી શકે છે.

Nomophobia

Nomophobia નોમોફોબિયાને સ્માર્ટફોનનું વ્યસન કહેવામાં આવે છે. વિશ્વમાં થયેલા એક સર્વેમાં, 84% સ્માર્ટફોન વપરાશકર્તાઓએ સ્વીકાર્યું કે તેઓ તેમના ફોન વિના એક દિવસ પણ પસાર કરી શકતા નથી.નોમોફોબિયા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને પર નકારાત્મક અસર કરે છે. જાણો આના કારણે કઈ બીમારીઓ થઈ શકે છે…

Nomophobia

Nomophobia  : નોમોફોબિયાના કારણે થતી બીમારીઓ 

1. પીઠના પાછળના હાળકા પર અસર 
યુનાઈટેડ ચિરોપ્રેક્ટિક એસોસિએશનના જણાવ્યા અનુસાર, ફોનના સતત ઉપયોગથી ખભા અને ગરદન વાંકા થઈ જાય છે, જેના કારણે કરોડરજ્જુ પર પ્રતિકૂળ અસર થાય છે.

2. ફેફસાની સમસ્યાઓ
સતત ફોનનો ઉપયોગ કરવાથી ગરદન ઝુકી જાય છે, જેના કારણે શરીરને સંપૂર્ણ અથવા ઊંડા શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તે ફેફસાના સ્વાસ્થ્યને અસર કરે છે.

3. ટેક્સ્ટ ગરદનની સમસ્યા 
ફોનની સ્ક્રીન પર સતત જોતાં રહેવાથી ગરદનમાં દુખાવો થાય છે. જેને ટેક્સ્ટ નેક કહેવામાં આવે છે. આ સમસ્યા એવા લોકોમાં વધુ જોવા મળે છે જેઓ સતત ટેક્સ્ટ મેસેજ મોકલે છે અને વેબ બ્રાઉઝિંગ કરે છે.

4. કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ 
અમેરિકન વિઝન કાઉન્સિલના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 70% લોકો સ્માર્ટફોન સ્ક્રીનને જોતી વખતે તેમની આંખો મીંચી દે છે, જે પાછળથી કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ બની જાય છે. આમાં, આંખોમાં સોજો અને અસ્પષ્ટ દ્રષ્ટિની સમસ્યા છે.

Nomophobia

5. કિડની ફેલ્યર થઈ શકે છે
એક રિપોર્ટ અનુસાર, દુનિયાના લગભગ 75% લોકો પોતાના સ્માર્ટફોનને બાથરૂમમાં લઈ જાય છે. જેના કારણે ઈ-કોલાઈ બેક્ટેરિયા દર 6માંથી 1 ફોનમાં જોવા મળે છે. આ બેક્ટેરિયાના કારણે ડાયેરિયા અને કિડની ફેલ થવાની શક્યતા રહે છે.

6. ઊંઘની સમસ્યાઓ
જો સ્માર્ટફોનનો પ્રકાશ ચહેરાની સામે બે કલાક સુધી ચમકે છે, તો મેલાટોનિન 22% ઘટે છે. જેના કારણે ઊંઘની સમસ્યા શરૂ થાય છે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે સ્માર્ટફોનની લતને કારણે 12 ટકા લોકોનું અંગત જીવન પ્રભાવિત થયું છે.

7. આત્મવિશ્વાસનો અભાવ
એક સર્વેક્ષણમાં, 41 ટકાથી વધુ લોકોએ સ્વીકાર્યું કે તેઓ કોઈની સામે મૂર્ખ દેખાવાથી બચવા માટે તેમના સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે. આમ કરવાથી તેમનો આત્મવિશ્વાસ ઘટી શકે છે. તેથી આને ટાળવું જોઈએ.

8. ચિંતા વધી શકે છે
એક સર્વેમાં, 45 ટકા સ્માર્ટફોન યુઝર્સે સ્વીકાર્યું કે તેઓ તેમના ફોન અથવા અન્ય વસ્તુઓ ગુમાવવાથી ચિંતિત છે. જે દર્શાવે છે કે ફોન પણ તણાવ વધારી રહ્યો છે.  નિષ્ણાતોનું માનવું છે કે ફોનનો વધુ પડતો ઉપયોગ તમને પરિવાર અને મિત્રોથી દૂર લઈ જઈ શકે છે. તેનાથી સામાજિક છબી પણ બગડી શકે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો