મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર કર્યાં પ્રહાર

0
377

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવનિર્મિત સંસદનું ઉદ્ઘાટન કરશે. આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે એવું લાગે છે કે મોદીએ માત્ર ચૂંટણીલક્ષી કારણોસર દલિત અને આદિવાસી સમુદાયમાંથી ભારતના રાષ્ટ્રપતિની સુનિશ્ચિત કર્યાં છે.