Makar Sankranti 2024: ઉત્તરાયણ 14 નહિ પરંતુ 15 જાન્યુઆરીએ ઉજવાશે. જાણો કેમ ?   

0
708
Makar Sankranti 2024
Makar Sankranti 2024

Makar Sankranti 2024: એકમાત્ર હિંદુ તહેવાર એવો છે જે પંચાગ પ્રમાણે નહિ પણ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આવે છે. એ છે ઉત્તરાયણ, ખાસ કરીને ઉત્તરાયણ 14 જાન્યુઆરીના દિવસે જ આવતી હોય છે પરંતુ આ વર્ષે ઉત્તરાયણનો યોગ 15 જાન્યુઆરીના દિવસે બની રહ્યો છે. ઉત્તરાયણને મકરસંક્રાંતિ કહેવાય છે, સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે એને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે, અને આ વર્ષે સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ 15 જાન્યુઆરીના દિવસે  થશે.      

makarsankarati

Makar Sankranti 2024: હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિના તહેવારનું વિશેષ મહત્વ છે. વર્ષ બદલે પછી મકરસંક્રાંતિ પહેલો તહેવાર આવે છે. આ દિવસે ગ્રહોના રાજા કહેવાતા સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિથી દિવસ લાંબા થાય છે. મકરસંક્રાંતિનો પર્વ સૂર્યદેવને સમર્પિત છે તેથી આ દિવસે સૂર્યદેવનું પૂજન કરવાનું અને વ્રત કરવાનું વિધાન છે.

surya pooja 1

 

Makar Sankranti 2024: વર્ષ 2024માં હિન્દુ પંચાંગ અનુસાર મકરસંક્રાંતિનો પર્વ 15 જાન્યુઆરી 2024 ના રોજ ઉજવાશે. મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવાનું પણ વિશેષ મહત્વ છે આ સાથે જ કેટલીક બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજે તમને જણાવીએ મકરસંક્રાંતિના દિવસે કયા કામ કરવા અને કયા કામ કરવાનું ટાળવું જોઈએ.

Kites 0 1

Makar Sankranti 2024: મકરસંક્રાંતિ પર આ વાતોનું રાખો ધ્યાન

મકરસંક્રાંતિના દિવસે ડુંગળી, લસણ, માંસ અને મદિરાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

મકરસંક્રાંતિના દિવસે સાત્વિક ભોજન બનાવીને જ ગ્રહણ કરવું.

આ દિવસે ઘરના વડીલો અને ગરીબ લોકોનું અપમાન કરવાનું ટાળવું જોઈએ. 

મકરસંક્રાંતિના દિવસે કોઈ પણ વ્યક્તિ વિશે ખરાબ બોલવાનું ટાળો. આમ કરવાથી પરિવારની સુખ શાંતિ છીનવાઇ જાય છે.

  મકરસંક્રાંતિના દિવસે ઘરમાં ચોખા, ગોળ અને સુકામેવાવાળો મીઠો ભાત બનાવીને ખાવો જોઈએ. 

મકરસંક્રાંતિના દિવસે આ સૂર્ય મંત્રનો કરો જાપ કરવો જોઈએ. 

ॐ ધૃણિં સૂર્ય: આદિત્ય:
ॐ હ્રીં હ્રીં સૂર્યાય નમ:
ॐ સૂર્યાય
ॐ ધૃણિં સૂર્યાય નમ:

તમે આ પણ વાંચી શકો છો

મકરસંક્રાતિના દિવસે બની રહ્યો છે રવિ યોગ, સૂર્ય પૂજાનો મળશે સીધો લાભ