Home Desh Madhyapradesh CM :  મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા મોહન યાદવ

Madhyapradesh CM :  મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા મોહન યાદવ

0
578
mohan yadav
mohan yadav

Madhyapradesh CM  છત્તીસગઢ બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશમાં પણ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દીધી છે, સતત ચાર વખત મુખ્યમંત્રી રહી ચુકેલા શિવરાજસિંહ ચૌહાણ ના નામની ચર્ચાને આખરે પૂર્ણ વિરામ લાગી ગયું છે, અને મોહન યાદવના નામની મુખ્યમંત્રીના પદ  માટે  પસંદગી કરવામાં આવી છે, પાછલા ૧ સપ્તાહથી (Madhyapradesh CM) મુખ્યમંત્રી ના નામની પસંદગી માટે ચર્ચાઓ ચાલી રહી હતી તે આખરે આજે પૂર્ણ થઇ ગઈ છે,

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ બનશે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. ભોપાલમાં બીજેપીના પ્રદેશ કાર્યાલયમાં પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર લગાવવામાં આવી હતી. મોહન યાદવ ઓબીસી વર્ગમાંથી આવે છે. પૂર્વ કેન્દ્રીયમંત્રી નરેન્દ્ર તોમરને વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સિવાય જગબીર દેવડા અને રાજેશ શુક્લાની ડેપ્યુટી CM તરીકે પસંદગી કરવામાં આવી છે. OBC CM સાથે દલિત અને બ્રાહ્મણનું સમીકરણ બનાવવામાં આવ્યું છે.

FOqtW iaUAIjq9s

મોહન યાદવનો જન્મ ઉજ્જૈનમાં થયો હતો. તેમણે BSc, LLB, MA, MBA અને Ph.D કરી છે. તેઓ શિવરાજ સિંહની સરકાર દરમિયાન મંત્રી હતા. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણથી ધારાસભ્ય છે. તેમને RSSના નજીકના વ્યક્તિ ગણવામાં આવે છે. તેઓ 3 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. 2020-2023 સુધી તેઓ શિવરાજસિંહ સરકારમાં શિક્ષા મંત્રી રહ્યા હતા.

કોણ છે મોહન યાદવ…

  • ઉંમરઃ 58 વર્ષ,
  • રાજકીય કરિયરઃ 1982મા માધવ વિજ્ઞાન યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના સહ-સચિવ, 1984મા અધ્યક્ષ
  • 2013મા ધારાસભ્ય બન્યા
  • 2018મા બીજીવાર ચૂંટાઈને ઉચ્ચ શિક્ષા મંત્રી બન્યા

ડૉ. મોહન યાદવે 1984માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તેમની રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી. તેમને ઉજ્જૈનના શહેર મંત્રીની જવાબદારી સોંપાઈ હતી. 1986માં તેમને ABVPના ડિપાર્ટમેન્ટ હેડની જવાબદારી સોંપાયેલી. થોડા સમયમાં તેઓ ABVPના રાજ્ય સહમંત્રી બની ગયા. તેઓ RSSની વિદ્યાર્થી પાંખના રાષ્ટ્રીય મંત્રી પણ બન્યા હતા. આ સિવાય મોહન યાદવ RSSના કો-સેક્શન સેક્રેટરી અને સિટી સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. 1997માં તેઓ સ્ટુડન્ટ્સ પોલિટિક્સમાંથી ભાજપ યુવા મોરચામાં આવ્યા.

2003માં મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર બન્યા બાદ તેમનું પ્રમોશન થયું અને તેમને ઉજ્જૈન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન બનાવાયા. શિવરાજસિંહ ચૌહાણે તેમને 2011માં મધ્ય પ્રદેશ રાજ્ય પ્રવાસન વિકાસ નિગમના અધ્યક્ષ બનાવ્યા હતા. 2013માં ધારાસભ્ય બન્યા બાદ તેમને મોટી જવાબદારી સોપવામાં આવી હતી. 2020માં જ્યારે ફરી શિવરાજસિંહની સરકાર બની ત્યારે તેમને ઉચ્ચ શિક્ષણમંત્રી બનાવવામાં આવ્યા હતા.

તમને આ વાંચવું પણ ગમશે

ગુજરાત બહાર ભાજપ ના નેતાઓની કોઈ વેલ્યું નથી?, મધ્યપ્રદેશમાં એક પણ ને ન મળ્યું સ્થાન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે