રવિવારે મુંબઈમાં પ્રવાસ કરતા પહેલા જાણી લો આ સમાચાર

0
79

સેન્ટ્રલ રેલ્વે ટ્રેકની જાળવણી માટે મેગાબ્લોક જાહેર

મુંબઈમાં જો રવિવારે તમે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. સેન્ટ્રલ રેલ્વે ટ્રેકની જાળવણી માટે માટુંગા થી મુલુંડ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ચુનાભઠ્ઠી અને બાન્દ્રા રૂટનો માર્ગ બ્લોક જાહેર કર્યો છે. જયારે પશ્ચિમ રેલ્વે પર જોગેશ્વરી અને સાન્તાક્રુઝ વચ્ચે બ્લોક કરવામાં આવશે. બ્લોક સમય દરમિયાન કેટલીક લોકલ ટ્રેન રદ કરવામાં આવી છે. અથવા સમય કરતા વિલંબ સાથે દોડશે. આ બ્લોક 11 વાગ્યા થી 3-55 સુધી રાખવામાં આવશે. આ તમામ ટ્રેક પર આવતી ફાસ્ટ ટ્રેન અને લોકલ ટ્રેન ધીમી લાઈન પર ખસેડવામાં આવી છે. અને અન્ય ટ્રેન 20 મિનિટ મોડી પડશે. વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE વધુ સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ