Jamnagar Murder Case: પત્ની વિશે ટીકા કરતાં મિત્રએ જ મિત્રની પથ્થર ઝીંકી કરી હત્યા, પોલીસે નેપાળી શખ્સને ઝડપ્યો

0
104
Jamnagar Murder Case
Jamnagar Murder Case

Jamnagar Murder Case: જામનગરના રણજીત સાગર રોડ પર ગ્રીન સીટી વિસ્તારમાં થયેલી નેપાળી યુવાનની હત્યાના ગુનાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં પોલીસે મૃતકના જ મિત્ર એવા નેપાળી શખ્સની ધરપકડ કરી છે. પત્ની વિશે કરેલી ટિપ્પણી લોહીની હોળી ખેલાવવાનું કારણ બની હોવાનું સામે આવ્યું છે.

Jamnagar Murder Case

Jamnagar Murder Case: શું હતી સમગ્ર ઘટના?

જામનગરમાં રખડતું જીવન જીવતા અને મજૂરી કામ કરતા તપેન્દ્ર સાઉદ (ઉં.વ. ૨૮) નામના નેપાળી યુવાનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું મોત માથામાં પથ્થરના ઘા વાગવાને કારણે થયું હોવાનું સ્પષ્ટ થયું હતું. આ અંગે મૃતકના પિતા શંકર સાઉદે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Jamnagar Murder Case: પત્ની વિશેની ટિપ્પણી બની મોતનું કારણ

પોલીસની તપાસ અને પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ઝડપાયેલા આરોપી રાકેશ ઉર્ફે રામુ છેત્રીએ પોલીસ સમક્ષ કબૂલાત આપી છે કે:

  • બનાવની રાત્રે બંને મિત્રો રણજીત સાગર રોડ પર સાથે બેઠા હતા.
  • વાતવાતમાં મૃતક તપેન્દ્રએ રાકેશની પત્ની વિશે કેટલીક વાંધાજનક ટીકા-ટિપ્પણી કરી હતી.
  • આ વાત રાકેશને ગમી ન હતી અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
  • આવેશમાં આવી ગયેલા રાકેશે બાજુમાં પડેલો પથ્થર તપેન્દ્રના માથામાં ઝીંકી દીધો હતો, જેના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું.

પોલીસની કામગીરી

જામનગર સીટી એ-ડિવિઝન પોલીસની સાથે એલ.સી.બી. (LCB) અને એસ.ઓ.જી. (SOG) ની અલગ-અલગ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી રાકેશને શોધી કાઢી તેની ધરપકડ કરી છે. હાલ પોલીસ આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 છોટાઉદેપુરના નાની પીપલેજ પાસે બંધ હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર, પરિવારે લગાવ્યો હત્યાનો આક્ષેપ