રાજકોટમાં ૪ કે તેથી વધુ ઈ-મેમો નહીં ભરનારાઓ પર હવે તવાઈ

0
66

૧૪૦૦ વાહન ચાલકોનું લિસ્ટ તૈયાર, વાહન ડીટેઈન કરવામાં આવશે

રાજકોટમાં ઈ-મેમો નહીં ભરનારા વાહનચાલકો પર હવે મોટી તવાઈ આવશે. કારણ કે, રાજકોટ ટ્રાફિક પોલીસે ૪ કે તેથી વધુ ઈ-મેમો ધરાવનાર ૧૪૦૦ વાહન ચાલકોનું લિસ્ટ તૈયાર કર્યું છે. જે તમામ હવે ડીટેઈન થશે. કોર્ટે પણ આવા વાહન ડીટેઈન કરવાની મંજૂરી આપી દીધેલ છે, પરંતુ ઈ-મેમો ભરનારનું વાહન ડીટેઈન કરવામાં નહીં આવે.