ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી

0
179

યુરીયા ખાતરના ભાવમાં વધારો નહીં થાય : સંઘાણી

ખેડૂતો માટે હાલમાં રાહતના સમાચાર આવ્યા છે. કારણ કે, ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું છે કે, “આગામી સમયમાં યુરિયા ખાતરના ભાવમાં કોઇપણ પ્રકારનો વધારો જોવા મળશે નહીં. ખાતરની અછત સર્જાઈ હતી, પરંતુ સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને અગાઉથી જ પૂરતો જથ્થો આયાત કરવામાં આવ્યો છે. અગાઉના વર્ષોમાં ખાતરની અછત ઉભી થવાના કારણો કોરોના અને કોરોના પછી રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આયાત ખાતરો ઓર્ડર આપવા છતાં સમયસર પહોંચી શક્યા ન હતા. આ વર્ષે સરકારે આગોતરું આયોજન કરીને જથ્થો મંગાવી લીધો છે. જે પૂરતા પ્રમાણમાં છે. જેથી ખેડૂતોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી.”