હું મરીશ ત્યાં સુધી NCPમાં જ રહીશ : અજિત

0
61

NCP નેતા અજિત પવારે ફરી હુંકાર ભરતા કહ્યું છે કે, “હું મરીશ ત્યાં સુધી NCPમાં જ રહીશ.” જોકે આ દાવા બાદ પણ અજીત પવારના ભાજપ સાથે જોડાવવાની અટકળો શાંત નથી થઇ રહી. કારણ કે, સૂત્રોના જણાવ્યા મુજબ, છગન ભુજબળ, જયંત પાટીલ, સુનીલ તટકરે અને અનિલ દેશમુખ દિગ્ગજ નેતાઓ અજિત પવારના નિવાસસ્થાને ગયા હતા અને તેમને મળ્યા હતા. મહત્વનું છે કે, અગાઉ પણ અજિત પવાર કહી ચૂક્યા છે કે, તેઓ NCPમાં જ છે અને NCPમાં જ રહેશે.