Horrific Accident in Andhra Pradesh: આંધ્ર પ્રદેશમાં કાળમુખો અકસ્માત: બસ અને ડમ્પર વચ્ચેની ભીષણ ટક્કર બાદ આગ લાગતા 14 મુસાફરો જીવતા ભૂંજાયા, 23 ઘાયલ

0
118
Andhra Pradesh

Horrific Accident in Andhra Pradesh: આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં ગુરુવારની વહેલી સવારે એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. રાયવરમ પાસે એક ખાનગી લક્ઝરી બસ અને પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી. અકસ્માત એટલો વિકરાળ હતો કે ટક્કર થતાની સાથે જ બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 14 મુસાફરો જીવતા ભડથું થઈ ગયા છે.

Horrific Accident in Andhra Pradesh

Horrific Accident in Andhra Pradesh: સવારે 6 વાગ્યે સર્જાયો મોતનો તાંડવ

આ અકસ્માત સવારે આશરે 6:00 વાગ્યાની આસપાસ થયો હતો. ખાનગી ટ્રાવેલની આ બસ તેલંગાણાના જાગિત્યાલથી આંધ્ર પ્રદેશના નેલ્લોર તરફ જઈ રહી હતી. રાયવરમ નજીક સામેથી આવી રહેલા ડમ્પર સાથે બસ અથડાતા ક્ષણભરમાં જ આખી બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. બસમાં સવાર મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

Horrific Accident in Andhra Pradesh: 35થી વધુ મુસાફરો હતા સવાર, અનેક લોકો અંદર ફસાયા

Horrific Accident in Andhra Pradesh

મારકાપુરમના SP વી. હર્ષવર્ધન રાજુએ જણાવ્યું હતું કે, અકસ્માત સમયે બસમાં 35થી વધુ મુસાફરો સવાર હતા. આગ લાગવાને કારણે ઘણા મુસાફરો બસની અંદર જ ફસાઈ ગયા હતા અને બહાર નીકળી શક્યા નહોતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

 23 ઘાયલોની હાલત ગંભીર, CM નાયડુએ વ્યક્ત કર્યું દુઃખ

અકસ્માતમાં ડમ્પર ચાલક સહિત કુલ 23 મુસાફરો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને વહીવટી તંત્રને ઘાયલોની શ્રેષ્ઠ સારવાર માટે આદેશ આપ્યા છે.

આ પણ વાંચો :કેન્દ્ર કેબિનેટના મોટા નિર્ણય UDAN 2.0 હેઠળ 100 નવા એરપોર્ટ બનશે