કોરોનાની સ્થિતિને લઇ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન

0
40

કોરોનાથી ડરશો નહીં, પરંતુ સાવધાની રાખો : ઋષિકેશ પટેલ

સમયસર હાથ ધોવો અને માસ્ક પહેરો : ઋષિકેશ પટેલ

ગુજરાતમાં હાલમાં કોરોનાના કેસમાં વધઘટ જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, “કોરોનાથી હવે કોઈએ પણ ડરવાની જરૂર નથી. હવે કોરોના જીવનનો એક ભાગ થઇ ગયો છે. કોરોનાની ઘાતકતા ઘટી છે. લોકોએ કોરોનાથી સાવધાની રાખવી જોઈએ, ડરવાની જરૂર નથી. કોરોના ટેસ્ટિંગમાં વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત, સમયસર હાથ ધોવા અને માસ્ક પહેરવાનું પણ આરોગ્યમંત્રીએ સૂચન આપ્યું છે.