Haridwarમાં વૈશાખ પૂર્ણિમાની ભીડ, ભક્તોએ ગંગામાં લગાવી આસ્થાની ડૂબકી

0
49
Haridwar

Haridwarમાં વૈશાખ પૂર્ણિમાની ભીડ, ભક્તોએ ગંગામાં લગાવી આસ્થાની ડૂબકી

Haridwar ગંગામાં સ્નાન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી

Haridwar
Haridwar

પવિત્ર નગરી હરિદ્વારમાં આજે વૈશાખ પૂર્ણિમાના શુભ અવસરે આસ્થાનું પૂર ઉમટ્યું છે. દેશભરમાંથી આવેલા હજારો શ્રદ્ધાળુઓએ માતા ગંગામાં પવિત્ર ડૂબકી લગાવીને પોતાના પાપ ધોયા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. વહેલી સવારથી જ ગંગા ઘાટ પર ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ઠંડી અને સ્વચ્છ ગંગાના જળમાં સ્નાન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. પૂર્ણિમાના આ વિશેષ દિવસે ગંગા નદીના કિનારે ભજન-કીર્તન અને પૂજા-અર્ચનાનો પણ અનેરો માહોલ જોવા મળ્યો હતો. વૈશાખ પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે અને માનવામાં આવે છે કે આ દિવસે ગંગા સ્નાન કરવાથી તમામ દુઃખો દૂર થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. જેના કારણે હરિદ્વારમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી લગાવી પોતાના પાપ ધોયા

હવે થશે School Timing માં ફેરફાર ગરમીનું પ્રમાણ જોઇને જિલ્લા શિક્ષણાધિકારી શાળાના સમયમાં ફેરફાર કરી શકશે

gujarat : કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાન

Gujarat Forecast Paresh Goswami બીજા માવઠાની ભારી આગાહી! આવતી કાલે કેટલા જિલ્લાઓમા માવઠું Weather TV