સોમનાથની જેમ હવે દ્વારકામાં પણ થશે ઇલેક્ટ્રીક ઉપકરણથી ધ્વજારોહણ !

0
67

દેવભૂમિ દ્વારકાના જગત મંદિરના શિખર પર હવે અંબાજી અને સોમનાથની જેમ ઈલેક્ટ્રીક ઉપકરણોથી ધ્વજારોહણ કરવાની વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. દ્વારકાના જિલ્લાના નવ નિયુક્ત ક્લેકટર અને દેવસ્થાન સમિતિના વહીવટદાર  દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા. દ્વારકાધીશના દર્શન કર્યા બાદ તેઓ શુભેચ્છકોને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે અંબાજી અને સોમનાથ મંદિરની જેમ દ્વારકામાં પણ ઈલેક્ટ્રીક ઉપકરણોના મદદથી ધ્વજારોહણનો વિચાર રજૂ કર્યો હતો,ઘણીવાર ધ્વજારોહણ દરમિયાન અનેક અકસ્માતોના બનાવ બન્યા છે ત્યારે આ અકસ્માતને નિવારવા સલામતી માટે આવનાર નજીકના સમયમાં જ દ્વારકા મંદિર ઉપર ધ્વજારોહણ ઈલેક્ટ્રીક ઉપકરણોથી થાય તે માટે વિચારણ કરવામાં આવી હતી.