
ગુજરાત હાઈ અલર્ટ મોડ! તમામ જગ્યા પર અંબાજી, સોમનાથ, દ્વારકામાં સુરક્ષામાં વધારો
ગુજરાત હાઈ અલર્ટ મોડ! ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા થયેલા કાયર હુમલામાં 26 ભારતીય નાગરિકોના મોત થયા હતા. જમા ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. હાલમાં દેશના તમામ મોટા રાજ્યો અને શહેરો માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. ભાગીગુજરાત હાઈ અલર્ટ મોડ! ચૂકેલા કાયર આતંકવાદીઓને પકડવા માટે સેના અને પોલીસ સતત કાર્યરત છે. ગુજરાત હાઈ અલર્ટ મોડ! સમગ્ર દેશમાં હાલમાં તણાવનો માહોલ છે. દેશવાસીઓમાં રોષની લાગણી છે. એવામાં ગુજરાતમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના તમામ મોટા મંદિરો, રેલવે સ્ટેશન તેમજ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, રાજકોટ, જામનગર સહિતના શહેરોની પોલીસ પણ અલર્ટ મોડમાં છે.

ગાંધીનગરમાં મળી ઉચ્ચસ્તરીય બેઠક
ગુજરાત હાઈ અલર્ટ મોડ! ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. નાગરિકોના મોત અને અલર્ટ જાહેર થયા બાદ તમામ અધિકારીઓને આ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના પ્રવક્તા એવા ઋષિકેશ પટેલ મુખ્યમંત્રી કાર્યાલયમાં જ હાજર છે. મુખ્ય સચિવથી લઈને રાહત કમિશનર સિવાય, રાજ્યના પોલીસ વડા પણ બેઠકમાં હાજર રહ્યા છે. આ ઉપરાંત તમામ શહેરોના કમિશનર અને જિલ્લાઓના એસપી પણ વિડિયો કોન્ફરન્સ દ્વારા મિટિંગમાં જોડાયા છે.
આજે આવશે ત્રણેય મૃત ગુજરાતીઓના મૃતદેહ

ગુજરાત હાઈ અલર્ટ મોડ! અહીંયા ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરથી ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહ પોતાના વતન લાવવા માટે અમદાવાદ ખાતે સૌપ્રથમ આવશે. જમ્મુ કાશ્મીરમાં અટવાયેલા ગુજરાતી પ્રવાસીઓને પાછા લાવવા માટે પણ બેઠકો શરૂ થઈ ચૂકી છે.
ગુજરાત હાઈ અલર્ટ મોડ! પહેલગામ બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના તમામ મોટા જાહેર સ્થળોએ સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. અમદાવાદ સહિતના અન્ય મોટા શહેરો અને મહાનગરોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સ્ટેટ આઈબી પણ ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે. આ ઉપરાંત નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિ કે વસ્તુ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક પોલીસને તેની જાણ કરવામાં આવે. આ હુમલા ને પગલે પોલીસ દ્વારા સતર્ક રહેવાની સૂચના પણ આપવામાં આવી છે.
અંબાજી, દ્વારકા અને સોમનાથ મંદિરો જેવા મુખ્ય ધાર્મિક સ્થળો પર હવે સુરક્ષા વધારવામાં આવી છે. રાજ્યભરના રેલ્વે સ્ટેશનો અને એરપોર્ટ પર પણ કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.રાજ્યભરમાં, પોલીસે વ્યાપક ચેકિંગ કામગીરી શરૂ કરી છે. શંકાસ્પદ વ્યક્તિઓ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે, અને સરહદી વિસ્તારોમાં અને સંવેદનશીલ સ્થળોએ વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. ગતિશીલ વાહનોની કડક તપાસ કરવામાં આવી રહી છે.
આતંકવાદી હુમલા બાદ, ગુજરાત સરકારે મુખ્ય ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારી દીધી છે. સોમનાથ, દ્વારકા, અંબાજી અને પાવાગઢ સહિતના ખૂબ જ મહત્વપૂર્ણ મંદિરોમાં ખાસ પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે. સોમનાથ અને દ્વારકા, દરિયાકાંઠાના મંદિરો હોવાથી, હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ગુજરાતના ત્રણેય સશસ્ત્ર દળોને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, અને પાકિસ્તાનની સરહદે આવેલા પ્રદેશોમાં સુરક્ષા મજબૂત બનાવવામાં આવી છે.
બનાસકાંઠાના એસપી અક્ષરરાજ મકવાણાએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લો પાકિસ્તાનની સરહદે હોવાથી અને અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે, તેથી સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સ્નાઈપર્સને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. ઉપરાંત મંદિરમાં આવનારા તમામ ભક્તોની હવે સંપૂર્ણ સુરક્ષા તપાસ કરવામાં આવશે.