મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનનું ભવિષ્ય જોખમમાં,જાણો કોણે આપ્યું નિવેદન

    0
    371

    મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.આની વચ્ચે મહાવિકાસ આઘાડીના ગઠબંધન અંગે શરદ પવારે મોટુ નિવેદન આપ્યું છે. શયરદ પવારે કહ્યું કે, આજે મહારાષ્ટ્રમાં અઘાડી છે, પરંતુ કાલે તે હશે કે નહીં આ અંગે કહેવું મુશ્કેલ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પવારે અમરાવતીમાં કહ્યું કે, મહારાષ્ટ્રમાં અઘાડી છે. અમે સાથે કામ કરવા ઈચ્છીએ છીએ, પરંતુ ઈચ્છાથી શું થાય છે. આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ છે. અઘાડી ગઠબંધન રહેશે કે નહીં તે અંગે કોઈ ચર્ચા થઈ નથી.