ગોધરામાં શ્વાનનો આતંક

0
67

પંચમહાલના ગોધરામાંથી રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. રણછોડજી મંદિર નજીક શ્વાને 15 લોકોને બચકા ભર્યાની ઘટના સામે આવી હતી. શ્વાને 4 બાળકો  સહિત  11 લોકોને બચકા ભરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. હાલ તમામ લોકો ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે શ્વાનના હુમલાના પગલે લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. અને રખડતા શ્વાન સામે પાલિકા કડક કાર્યવાહી કરે તેવી લોકોએ માગ કરી હતી.