Home Desh ઉત્તરપ્રદેશમાં આફતનો વરસાદઃ24 કલાકમાં 34 લોકોના મોત

ઉત્તરપ્રદેશમાં આફતનો વરસાદઃ24 કલાકમાં 34 લોકોના મોત

0
412

ઉત્તરપ્રદેશમાં આફતનો વરસાદ

24 કલાકમાં 34 લોકોના મોત

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી

ઉત્તરપ્રદેશમાં આફતની જેમ વરસાદ વરસી રહ્યો છે. નદીઓના જળસ્તરમાં અચાનક વધારો થયો છે. રસ્તાઓ પર વરસાદી પાણી આવી ગયા છે. ખેતરો અને કોઠારમાં સર્વત્ર પાણી જ પાણી દેખાય છે.ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદે 34 લોકોના જીવ લીધા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે દરેકને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. આંકડા મુજબ, વીજળી પડવાથી 17 લોકોના મોત, 12 લોકો પાણીમાં ડૂબી જવાથી અને 5 લોકો ભારે વરસાદને કારણે મૃત્યુ પામ્યા હતા.

જુદા જુદા જિલ્લામાં 34 લોકોના મોત થયા છે

સરકાર દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં મૃત્યુઆંક જાહેર કરવામાં આવ્યો છે. ગાઝીપુરમાં બે અને મૈનપુરીમાં ચાર લોકોના મોત થયા છે. સંતકબીર નગરમાં ડૂબી જવાથી એક અને બદાઉનમાં બે વ્યક્તિનો જીવ ગયો. બરેલીમાં ચાર અને રાયબરેલીમાં પાંચ લોકોના મોત થયા છે. બાગપત, ઈટાવા, ઉન્નાવ, આગ્રામાં એક-એક મૃત્યુની પુષ્ટિ થઈ છે. જાલૌન, કાનપુર દેહાત, કન્નૌજમાં 2-2 મૃત્યુ થયા છે. બલિયામાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં આખા અઠવાડિયા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી

13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવાની સાથે હવામાન વિભાગે 46 જિલ્લાઓને યલો એલર્ટ પર મૂક્યા છે. છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદી નાળાના પાણી રસ્તા પર આવી ગયા છે. સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં નિર્દેશ આપ્યા હતા. પૂર, જળબંબાકાર અને રાહત કાર્યોની સમીક્ષા કરવા સાથે, તેમણે રાહત કમિશનરની કચેરીને ચેતવણી આપી. બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું કે પૂર અને જળબંબાકારની સમસ્યાઓના નિરાકરણ માટે નક્કર પ્રયાસો કરવા જોઈએ.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે