Dharmendra Property Dispute :  ધર્મેન્દ્રની પૈતૃક જમીન કેમ બાળકોને ના મળી ? ધર્મેન્દ્રએ કોણે આપી પોતાની કરોડોની જમીન

0
90
Dharmendra Property Dispute
Dharmendra Property Dispute

Dharmendra Property Dispute :  બોલીવુડના હેન્ડસમ હીરો તરીકે જાણીતા અભિનેતા ધર્મેન્દ્રનું 24 નવેમ્બરે 89 વર્ષની ઉમરે નિધન થયું. તેમના અવસાન બાદ દેશભરમાં શોકની લાગણી ફેલાઈ હતી. સફળ કારકિર્દી, લોકપ્રિયતા અને સન્માન સાથે ધર્મેન્દ્રે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું એક અપ્રતિમ સ્થાન બનાવ્યું. પરંતુ તેમના નિધન પછી એક પ્રશ્ન ચર્ચામાં આવ્યો — ધર્મેન્દ્રની પૈતૃક જમીનનો વારસદાર કોણ? શું બાળકોએ કોઈ હકનો દાવો કર્યો? અથવા બધું શાંતિથી પૂરૂં થયું?

આ તમામ ચર્ચાઓની વચ્ચે મોટો ખુલાસો એ હતો કે પંજાબમાં ધર્મેન્દ્રની લાખોની જમીન તેમના કોઈપણ સંતાનોને મળવાની નથી. કારણ કે ધર્મેન્દ્રે વર્ષો પહેલાં જ આ જમીન તેમના ભત્રીજા અને પિતરાઈ પરિવારના સભ્યોને આપી દીધી હતી.

Dharmendra Property Dispute :  ધર્મેન્દ્રનો મૂળ સંબંધ: નસરાલી ગામની યાદો

Dharmendra Property Dispute

ધર્મેન્દ્રનો જન્મ પંજાબના લુધિયાણા જિલ્લામાં આવેલા નસરાલી ગામે થયો હતો. તેમની બાળપણની યાદો, માતાપિતાની સંસ્કારો અને ગ્રામ્ય જીવનનો સ્પર્શ— આ જ ગામ સાથે જોડાયેલ. તેમના પિતા કિશન સિંહની જમીન પણ આ જ ગામમાં હતી. પરંતુ 1950માં ફિલ્મોમાં પોતાની આગવી ઓળખ બનાવવા તેઓ મુંબઈના સપના લઈ નીકળી પડ્યા. પરિવાર મુંબઈમાં સ્થાયી થઈ ગયો, પણ નસરાલીની તે જમીન પંજાબમાં જ રહી.

ધર્મેન્દ્રની ગેરહાજરીમાં તેમની જમીનનું જોખમ, મરમત અને ખેતીનું સમગ્ર કામ તેમના પિતરાઈ પરિવાર—મંજીત સિંહ અને શિંગારા સિંહ—દાયકાઓ સુધી સંભાળતા રહ્યા. તેમના માટે આ માત્ર જમીન નહોતી, પરંતુ ધર્મેન્દ્રના પરિવાર સાથેની લાગણીનો સંબંધ પણ હતો.

2015માં થયો મહત્વનો નિર્ણય

2015માં ધર્મેન્દ્ર જ્યારે ગામની મુલાકાતે આવ્યા, ત્યારે તેમણે જીવનનો સૌથી માનવીય અને ભાવનાત્મક નિર્ણય લીધો. વર્ષોથી આ જમીનની સંભાળ રાખનારા તેમના ભત્રીજા ભૂટા સિંહના પરિવારનું ઋણ સ્વીકારી, તેમણે 19 કનાલ અને 3 મરલા જમીન મંજીત સિંહ અને શિંગારા સિંહના નામે હસ્તાંતર કરી દીધી.

ભૂટા સિંહ દેઓલે સ્થાનિક અખબાર સાથે વાત કરતા કહ્યું:

ધર્મેન્દ્ર અંકલ અમને ક્યારેય ભૂલ્યા નથી. બાળપણથી જમીનનો જવાબદાર અમારો પરિવાર હતો. એ જ કારણથી તેમણે આ જમીન અમારી પાસે જ રાખી.”

ભૂટા સિંહે વધુમાં ઉમેર્યું કે તેઓ 2019માં છેલ્લે ગામ આવ્યા હતા, જ્યારે પુત્ર સની દેઓલને ગુરદાસપુરની ચૂંટણીમાં પ્રચાર માટે  આવ્યા હતા.

Dharmendra Property Dispute :  બાળકોને નહીં આપી સંપત્તિ — પાછળનું કારણ સ્પષ્ટ

Dharmendra Property Dispute

સવાલ ઊઠે કે જ્યારે ધર્મેન્દ્ર પાસે સની દેઓલ, બોબી દેઓલ, ઈશા દેઓલ જેવા સંતાનો છે, ત્યારે તેમણે તેમને આ પૈતૃક મિલકત કેમ ન આપી?

ભૂટા સિંહ જવાબ આપતા જણાવ્યું કે

જ્યારે એ મુંબઈ શિફ્ટ થયા ત્યારથી આ જમીનની ખેતી, સુરક્ષા, અને સંભાળ માત્ર અમારું પરિવાર જ રાખતો હતો. ધર્મેન્દ્રજી હંમેશા એ માનતા હતા કે જમીનનો અધિકાર તેને જ આપવો જોઈએ જેણે તેનું વર્ષોથી માન રાખ્યું હોય.”

આવક, વંશજ હક, અથવા ઘરનાં ઝગડા—ધર્મેન્દ્રના આ નિર્ણય પાછળ કોઈ નકારાત્મક કારણ નહોતું. તેમણે માત્ર લાગણી, ઋણ અને ન્યાયપ્રતિનીતિનું મૂલ્ય જાળવ્યું.

કોઈ વિવાદ નહિ દેઓલ પરિવારની સંસ્કારી પરંપરા

Dharmendra Property Dispute

ધર્મેન્દ્રના નિધન પછી વારસાની કોઈ ઝપાઝપી, દાવો કે વિવાદ ન થયો. દેઓલ પરિવાર હંમેશા એકતા અને સંસ્કારી વર્તન માટે ઓળખાય છે. વારસા કે સંપત્તિ કરતાં પણ વધુ, તે લોકો ધર્મેન્દ્રના મૂલ્યોને મહત્ત્વ આપે છે.

Dharmendra Property Dispute : આજના સમયમાં જ્યાં વારસા પર ઝઘડા, અદાલતના કેસો અને પરિવાર વચ્ચે તણાવની ઘટનાઓ વધી રહી છે, ત્યાં ધર્મેન્દ્રના આ સંવેદનશીલ અને સમજદારીભર્યા નિર્ણયથી એક ઉદ્દાત સંદેશ મળે છે—
“જમીન માત્ર મૂલ્ય નથી, તે સંબંધોની લાગણી છે.”

વધારે સમાચાર વાંચવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો

Rivaba hits back : દારૂબંધી મુદ્દે BJP–Congress વચ્ચે તોફાન રીવાબા જાડેજાએ રાહુલને આપ્યો વળતો જવાબ