Demolition in Jungleshwar :રાજકોટ મહાનગરપાલિકા (RMC) આજે સોમવાર, 23 ફેબ્રુઆરીથી શહેરના ઇતિહાસનું સૌથી મોટું અને અભૂતપૂર્વ ડિમોલિશન ઓપરેશન શરૂ કરવા જઈ રહી છે. જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી થયેલા ગેરકાયદે દબાણોને હટાવવા માટે તંત્રએ કમર કસી છે. અંદાજે 1489 મકાનો તોડી પાડીને 87,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
Demolition in Jungleshwar :સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત: જાણે છાવણીમાં ફેરવાયું શહેર

ઓપરેશનની સંવેદનશીલતાને જોતા સમગ્ર રાજકોટમાં કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે:
- નો ફ્લાય ઝોન: 23 થી 25 ફેબ્રુઆરી સુધી શહેરમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
- કલમ-163: શહેરમાં 26 ફેબ્રુઆરી સુધી 4 થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
- પોલીસ કાફલો: 2500 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારના વિરોધ કે પથ્થરમારાની સ્થિતિમાં તુરંત ધરપકડના આદેશ અપાયા છે.
ઓપરેશનની મોટી વાતો
| વિગત | માહિતી |
| કુલ મકાનો | 1489 (જંગલેશ્વર અને આજી નદી પટ) |
| ખુલ્લી થનારી જમીન | 87,000 ચોરસ મીટર |
| તૈનાત સ્ટાફ | 1130+ મનપા કર્મચારીઓ (હેલમેટ અને એપ્રન સાથે) |
| મશીનરી | 260+ વાહનો (JCB, હિટાચી, ડમ્પર) |
Demolition in Jungleshwar :કેમ લેવાયો આ કડક નિર્ણય?
તંત્રના જણાવ્યા અનુસાર આ ડિમોલિશન અનિવાર્ય હતું કારણ કે:
- આપત્તિ વ્યવસ્થાપન: સાંકડી ગલીઓને કારણે અહીં એમ્બ્યુલન્સ કે ફાયર ફાઇટર પહોંચી શકતા નથી.
- પૂરનું જોખમ: દર વર્ષે ચોમાસામાં આજી નદીના પૂરને કારણે અહીં જાનમાલનું ભારે નુકસાન થાય છે.
- ગુનાહિત પ્રવૃત્તિ: આ વિસ્તાર અસામાજિક તત્વો માટે આશ્રયસ્થાન બની રહ્યો હોવાની ફરિયાદો હતી.

વૈકલ્પિક આવાસનો ઇનકાર અને ગમગીની
મનપાએ સ્પષ્ટ કર્યું છે કે આ અસરગ્રસ્તોને અગાઉ આવાસ ફાળવી દેવામાં આવ્યા છે, તેથી હવે કોઈ નવું આવાસ આપવામાં આવશે નહીં. રવિવાર સાંજ સુધીમાં 225 પરિવારોએ સ્વેચ્છાએ ઘર ખાલી કર્યા હતા, પરંતુ અન્ય પરિવારોમાં ભારે આક્રોશ અને ગમગીની જોવા મળી રહી છે. અનેક મહિલાઓ અને બાળકો રડતી આંખે પોતાનો સામાન ફેરવતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો :ગાંધીનગર-ભરૂચમાં મેઘરાજાની એન્ટ્રી: અચાનક વાતાવરણ પલટાયું, ઠંડા પવનો સાથે ઝાપટાં




