Cricket news :આગામી વર્ષ યોજાનારા T20 વર્લ્ડ કપને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ્સ મુજબ, ભારત અને પાકિસ્તાન વચ્ચેની સૌથી હાઈ-વોલ્ટેજ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે BCCIએ પોતાનું પ્રસ્તાવિત શિડ્યૂલ ICCને મોકલી દીધું છે, અને ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. કોલંબો એ જ સ્થળ છે જ્યાં થોડા સમય પહેલાં વુમન્સ ODI વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનનો મુકાબલો યોજાયો હતો.

ટુર્નામેન્ટની શરૂઆત 7 ફેબ્રુઆરીથી અને ફાઈનલ 8 માર્ચે રમાશે એવી ચર્ચા છે. પરંતુ સેમી-ફાઈનલ અને ફાઈનલનું સ્થળ પાકિસ્તાનની પ્રગતિ પર આધારિત રહેશે. જો પાકિસ્તાન ફાઈનલમાં પહોંચતું નથી તો ફાઈનલ અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. પરંતુ જો પાકિસ્તાન ફાઈનલ માટે ક્વોલિફાય કરે, તો મેચ તટસ્થ સ્થળ—શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવશે.
Cricket news :BCCIએ ભારત માટે પાંચ શહેરો
BCCIએ ભારત માટે પાંચ શહેરો—અમદાવાદ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ અને મુંબઈ—ને શોર્ટલિસ્ટ કર્યા છે. શ્રીલંકામાં પણ ત્રણ સ્ટેડિયમ પર વિચારણા ચાલુ છે, જેમાં કોલંબોનો સમાવેશ થાય છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં મેચ શા માટે? તેનું કારણ છે બંને બોર્ડ્સ વચ્ચેનો કરાર, જેમાં નક્કી કરાયું હતું કે બંને દેશો એકબીજાના મેદાન પર નહીં રમે, પરંતુ તટસ્થ સ્થળે જ બાયલેટરલ અથવા મોટા ઈવેન્ટની મેચ રમશે.
Cricket news : T20 વર્લ્ડ કપના ઇતિહાસ
તાજેતરના એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ત્રણ વખત ટકરાયા હતા, અને ત્રણેય વખતે ભારતે જીત મેળવી હતી. એ દરમિયાન ખેલાડીઓ વચ્ચે તણાવ જોવા મળ્યો હતો—રઉફના વિવાદિત હાવભાવથી લઈને ફરહાનના ગન સેલિબ્રેશન સુધી.

T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત, વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડે બે-બે ટાઇટલ જીત્યા છે. જ્યારે પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાએ એક-એક વખત ટ્રોફી જીતી છે.
આ વખતે પણ ભારત-પાકિસ્તાનની ટક્કર ક્રિકેટ જગતમાં તીવ્ર રોમાંચ જગાવી રહી છે.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :




