કોંગ્રેસ કર્ણાટક ચૂંટણીપ્રચારથી સિદ્ધુને સક્રિય રાજકારણમાં ઉતારી શકે છે

    0
    59

    ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા નવજોત સિદ્ધુ જેલમાંથી મુક્ત થયા બાદ તેમણે પ્રથમ રાજકીય જવાબદારી મળી શકે છે.  કોંગ્રેસ ટૂંક સમયમાં કર્ણાટક ચૂંટણી પ્રચારથી તેમને સક્રિય રાજકારણમાં ઉતારી શકે છે. સિદ્ધુ દક્ષિણના રાજ્યમાં પ્રચાર કરે તેવી સંભાવના છે. નવજોત સિંહ સિદ્ધુ કર્ણાટકના મુખ્ય જિલ્લાઓમાં રેલીઓને સંબોધિત કરે તેવી શક્યતા છે.કર્ણાટકમાં વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં સિદ્ધુ કોંગ્રેસ માટે પ્રચાર કરી શકે છે.