શું ‘જવાન’ સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર અને કીર્તિ સુરેશ લગ્નના તાંતણે બંધાશે

0
317
Anirudh Ravichander and Keerthy Suresh
Anirudh Ravichander and Keerthy Suresh

Anirudh and Keerthy : અનિરુદ્ધ રવિચંદર તેના ગીતોને લઈને ત્યારે હેડલાઇન્સમાં આવ્યો જયારે શાહરૂખ ખાન સ્ટારર ‘જવાન’ સુપર હીટ સાબિત થઇ. આ સંગીતકર જેના સાઉથથી લઈને બોલીવૂડમાં લાખો ચાહકો છે, તે સતત હેડલાઈન્સમાં રહે છે અને હવે આ વખતે તે તેના રીલેસનશીપને લઈને ચર્ચામાં છે.

શું અનિરુદ્ધ – કીર્થી સુરેશ સાથે લગ્ન કરી રહ્યો છે? કીર્થીના લગ્ન બાબતે તેમના પિતાએ  મૌન તોડ્યું છે.

એવી અફવાઓ ફેલાઈ રહી હતી કે ‘જવાન’ મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી કીર્થી સુરેશ સાથે લગ્ન કરવા તૈયાર છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને છેલ્લા કેટલાક સમયથી રિલેશનશીપમાં છે અને લગ્નના બંધનમાં બાંધાવા જઈ રહ્યા છે. જો કે આ સમગ્ર મામલે કીર્થીના પિતાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે.

કીર્થીના પિતાએ તાજેતરમાં એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ સાથે વાતચીત કરી હતી, જ્યાં તેણે આ  વિશે વાત કરી હતી અને આ બધી અફવાઓને નકારી કાઢી. તેમણે કહ્યું કે આ વાતો બિલકુલ સત્ય નથી અને આ અહેવાલોને સંપૂર્ણ પાયાવિહોણા ગણાવ્યા. તેણે એ પણ સ્વીકાર્યું કે આ પહેલી વખત નથી જ્યારે કોઈ કીર્થી અને અનિરુદ્ધ વિશે આઈ અફવા ફેલાઈ હોય, તેમણે ઉમેર્યું કે ભૂતકાળમાં પણ ઘણા લિંક-અપ (Anirudh and Keerthy) સમાચાર આવ્યા છે.

શા માટે આ અફવાઓએ સ્પાર્ક લીધો?

થોડા દિવસ પહેલા કીર્થી સુરેશ અને જવાન ડાયરેક્ટર એટલાની પત્ની પ્રિયાની ‘ચલેયા..’ ગીતના ધૂન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તેણીના ઇન્સ્ટાગ્રામ આ વિડિયોએ અનિરુદ્ધ સાથેના તેના રીલેશનશીપ અને  લગ્ન વિશે અફવાઓ ફેલાવી હતી. આ ઉપરાંત ઘણી વખત કીર્થી અને અનિરુદ્ધ એકસાથે (Anirudh and Keerthy) જોવા મળ્યા છે. આ ઉપરાંત અનિરુદ્ધના શોમાં કીર્થી ખુશ અને ડાન્સ કરતી જોવા મળી હતી.