સીએમ ભૂપેન્દ્ર પટેલ ૧૭ એપ્રિલે ગાંધીનગરમાં પ્રજાને મળી શકશે નહીં

0
58

સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમના કારણે સીએમ મુલાકાત માટે હાજર નહીં હોય

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૧૭ એપ્રિલ ૨૦૨૩ને સોમવારના રોજ નાગરિકો, પ્રજાવર્ગો તેમ જ જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓને મળી શકશે નહીં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રિય મંત્રીઓની ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે યોજાનારા સૌરાષ્ટ્ર – તમિલ સંગમ કાર્યક્રમના પ્રારંભ તેમ જ અન્યત્ર પૂર્વનિર્ધારિત રોકાણોને કારણે ગાંધીનગરમાં મુલાકાત માટે હાજર નહીં હોય.