મણિપુરના મુખ્યમંત્રીએ અમિત શાહ સાથે કરી મુલાકાત

0
123

મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા હવે ધીમે ધીમે શાંત થઈ રહી છે. રાજ્યમાં આર્મી-આસામ રાઈફલ્સ અને રેપિડ એક્શન ફોર્સ (RAF) ની તૈનાતી બાદ સ્થિતિમાં સુધારો થયો છે.આની વચ્ચે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે ચાર કેબિનેટ મંત્રી અને મણિપુરના ભાજપ અધ્યક્ષ શારદા દેવી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.નોંધનીય છે કે મણિપુરમાં ફાટી નીકળેલી હિંસામાં 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10,000થી વધુ સુરક્ષા દળોના જવાનો તૈનાત છે. આ કડક સુરક્ષાના કારણે લોકો ઈમ્ફાલમાં રસ્તાઓ પર દેખાવા લાગ્યા છે.