કોરોનાને કાબુમાં રાખવા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં

0
154

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા રાજ્યોના આરોગ્ય પ્રધાનો સાથે યોજી બેઠક

૧૦-૧૧ એપ્રિલે હોસ્પિટલ્સમાં મોકડ્રીલ યોજવા નિર્દેશ

ભારતમાં કોરોના વકર્યો છે, જેને લઈને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.મનસુખ માંડવિયાએ ​​રાજ્યના આરોગ્ય પ્રધાનો,  મુખ્ય સચિવો અને અધિક મુખ્ય સચિવો સાથે વર્ચ્યુઅલ રીતે વાતચીત કરી છે. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યોને એલર્ટ રહેવા અને કોવિડ-19 મેનેજમેન્ટ માટે તમામ તૈયારીઓ રાખવાની સલાહ આપી છે. તેમણે તમામ રાજ્યોને 10 અને 11 એપ્રિલે હોસ્પિટલ્સમાં મોક ડ્રીલ યોજવા જણાવ્યું છે. આ ઉપરાંત, 8-9 એપ્રિલે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય અધિકારીઓ સાથે આરોગ્ય તૈયારીઓની સમીક્ષા કરવા વિનંતી કરી છે.