ખંભાળિયાનું વહાણ યમનમાં ભસ્મીભૂત

0
130

ખંભાળિયા તાલુકાના સલાયા ગામનું સુલતાને ઓલિયા” નામનું અને બીડીઆઈ 1482 રજીસ્ટ્રેશન નંબર ધરાવતું વહાણ યમનમાં ગની ઝપેટમાં આવી ગયું હતું. આશરે 1100,ટન જેટલી કેપેસિટીનું આ જનરલ કાર્ગો વહાણ યમનના મકલા પોર્ટ ખાતે હતું, ત્યારે કોઈ કારણોસર તેમાં અકસ્માતે આગ લાગી હતી અને થોડીવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે આ વહાણ મહદઅંશે બળીને ખાખ થઈ ગયું હતું. આ આગના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.જો કે આ વહાણમાં રહેલા તમામ ખલાસીઓ સહી સલામત હોવાનું અને કોઈ મોટી જાનહાની ન સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી.