અમરનાથ યાત્રાએ જનારા યાત્રિકો મોટા સમાચાર

0
62

૧૩ વર્ષથી ઓછી અને 75 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ પર અમરનાથ યાત્રા માટે પ્રતિબંધ

અમરનાથ યાત્રાએ જનારા યાત્રિકો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે 13 વર્ષથી ઓછી અથવા 75 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિને અમરનાથ યાત્રા પર જવા દેવામાં આવશે નહીં. અમરનાથની વાર્ષિક યાત્રા માટે નોંધણી 17 એપ્રિલથી શરૂ થઈ હતી. આ ઉપરાંત, છ સપ્તાહથી વધુની પ્રેગ્નન્સી ધરાવતી કોઈપણ મહિલાને મુસાફરી માટે રજીસ્ટર કરવામાં આવશે નહીં. મહત્વનું છે કે, “જમ્મૂ-કાશ્મીર પોલીસે આગામી અમરનાથ યાત્રાને લઈને તૈયારીઓની બેઠક પણ યોજી છે. પર્યાપ્ત પોલીસ અને સુરક્ષા દળોની તૈનાતી સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. અમરનાથ યાત્રા માટે 2,500થી વધુ મોબાઈલ ટોઈલેટ તૈયાર કરવાની યોજના છે.