Bangladesh Shifts Stance: બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા રાજકીય પરિવર્તન બાદ ભારત સાથેના સંબંધોમાં નવી આશા જાગી છે. T20 વર્લ્ડ કપમાં ભાગ ન લેવાના વિવાદ બાદ, હવે બાંગ્લાદેશના નવા રમતગમત મંત્રી અમીનુલ હકે ભારત અને BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) સાથે વણસેલા સંબંધોને સુધારવાની દિશામાં હકારાત્મક સંકેતો આપ્યા છે.

Bangladesh Shifts Stance: ડેપ્યુટી હાઈ કમિશનર સાથે બેઠક
શપથ લીધા બાદ તુરંત જ અમીનુલ હકે સંસદ ભવનમાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર સાથે મુલાકાત કરી હતી. આ બેઠક અંગે માહિતી આપતા હકે જણાવ્યું હતું કે, “અમે પડોશી દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખવા માંગીએ છીએ. મેં T20 વર્લ્ડ કપ મુદ્દે તેમની સાથે ચર્ચા કરી છે અને અમે વાતચીત દ્વારા આ વિવાદનો જલ્દી ઉકેલ લાવવા ઈચ્છીએ છીએ.”
Bangladesh Shifts Stance: શું હતો સમગ્ર વિવાદ?
બાંગ્લાદેશમાં અગાઉની સરકાર દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટને લઈને ભારે તણાવ સર્જાયો હતો, જેના મુખ્ય બે કારણો હતા:
- મુસ્તફિઝુર રહેમાન અને IPL વિવાદ: બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાઓના વિરોધમાં BCCI એ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને IPL રમવાની મંજૂરી આપી ન હતી. KKR એ તેને ₹9.2 કરોડમાં ખરીદ્યો હોવા છતાં તેને રિલીઝ કરવો પડ્યો હતો.
- વર્લ્ડ કપનો બહિષ્કાર: આના જવાબમાં તત્કાલીન યુનુસ સરકારે બાંગ્લાદેશમાં IPL ના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો. પૂર્વ મંત્રી આસિફ નઝરુલે સુરક્ષાનું કારણ આપીને ભારત રમાનારા T20 વર્લ્ડ કપમાં ટીમ મોકલવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે, ICC એ બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કર્યું હતું.

Bangladesh Shifts Stance: PM મોદી અને તારિક રહેમાન વચ્ચે સંવાદ
નોંધનીય છે કે 13 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના નેતા તારિક રહેમાન સાથે ફોન પર વાતચીત કરીને તેમને જીતની શુભેચ્છા પાઠવી હતી. સામે પક્ષે BNP એ પણ સોશિયલ મીડિયા પર ભારત સાથે પરસ્પર સન્માન અને શાંતિના ધોરણે કામ કરવાની તૈયારી દર્શાવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




