જમ્મુ કાશ્મીરના પુંછમાં સેના ઉપર થયો હુમલો- પાચ જવાન શહીદ

0
51

જમ્મુ કાશ્મીરના પુંછમાં સેનાના વાહનમાં લાગેલી આગ આતંકી ઘટના છે,જેની પુષ્ટિ સેનાએ કરી છે, સુત્રોની માનીએ તો ગ્રેનેડથી સેનાના કાફલા ઉપર આંતકી હુમલો કરાયો હતો, જેના કારણે સેનાના વાહનમાં આગ લાગી હતી અને પાચ જવાનો શહીદ થયા હતા, સેના પ્રમુખ રક્ષામંત્રાલયને માહિતી આપી  છે, જ્યારે એક જવાન ઘાયલ છે, જેની સારવાર ચાલી રહી છે, સેના હાલ તમામ વિસ્તારોને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, સાથે ષડંયત્ર રચીને સુનિયોજિત રીતે હુમલો કરાયો હોવાની વાત હાલ સેનાએ કરી છે,