૧ મે થી બંધ શિરડી સાંઈબાબાનું મંદિર અનિશ્ચિતકાળ સુધી બંધ રાખવાનું એલાન

    0
    150
    શિરડી સાંઈ બાબા મંદિરમાં CISF તૈનાત કરવાના નિર્ણયનો વિરોધ 
    મહારાષ્ટ્રમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ અને કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવા શિરડી સાઈબાબા મંદિરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શિરડી સાઈબાબાનું મંદિર ૧ મે થી અનિશ્ચિતકાળ સુધી બંધ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ એલાન સાંઈ બાબા મંદિરની સુરક્ષા માટે CISF તૈનાત કરવાના સરકારના નિર્ણયના વિરોધમાં કરવામાં આવ્યું છે. કારણ કે, અહીં સાંઈ બાબા મંદિરમાં CISFની તૈનાતીનો વિરોધ થઈ રહ્યો છે. શિરડીના ગ્રામીણો CISFની તૈનાતી સામે વિરોધ કરી રહ્યા છે. મહત્વનું આ છે કે, આ CISF તમામ ઔદ્યોગિક સંસ્થાઓ, મેટ્રો સ્ટેશન અને એરપોર્ટનું રક્ષણ કરે છે