અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આજે એક બેઠકમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરેલી કામગીરીની સમીક્ષા

0
286

અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હતો તેને ડામવા માટે પોલીસે ખાસ એકશન પ્લાન બનાવ્યો હતો,ગુનેગારોના ગેરકાયદેસર મકાનો પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું હતુ સાથે સાથે પોલીસે રીઢા ગુનેગારા સામે પાસા અને તડીપારની કાર્યવાહી પણ કરી છે.

અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આજે એક બેઠકમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરેલી કામગીરીની સમીક્ષા

અમદાવાદ પોલીસ કમિશનર કચેરી બેઠક

અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું,જેમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે,આ બેઠકમાં પીઆઇ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં છે,આગામી રામનવમીના તહેવારને લઇ તેમજ વિસ્તારમાં CCTV કેમેરા અને સમર કેમ્પ વિશે પણ ચર્ચા કરવામાં આવી છે.

કુલ ૨૬૭ જેટલા ઇસમો વિરુધ્ધ પાસા હેઠળ કાર્યવાહી

અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આજે એક બેઠકમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરેલી કામગીરીની સમીક્ષા

અસામાજીક તત્વો વિરુધ્ધની આ મુહિમના કારણે ફકત એક જ માસમાં એટલે કે ફકત માર્ચ મહિનામાં જ અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા શહેરના કુલ ૧૫૦ અસામાજીક તત્વોને પાસા હેઠળ રાજયની ભુજ જેલ ખાતે-૪0, રાજકોટ જેલ ખાતે-30, સુરત જેલ ખાતે-૪૫ તેમજ વડોદરા જેલ ખાતે-૩૫ ઇસમોને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે અને કુલ 33 ઇસમો વિરુધ્ધમાં તડીપારની કાર્યવાહી કરવા હુકમો કરવામાં આવ્યા છે. વધુમાં, ચાલુવર્ષ ૨૦૨૫ માં માર્ચ મહિના સુધીમાં કુલ ૨૬૭ જેટલા ઇસમો વિરુધ્ધ પાસા હેઠળ તેમજ કુલ ૪૦ ઇસમો વિરુધ્ધ તડીપારની કાર્યવાહીના આદેશો કરવામાં આવેલા છે

અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આજે એક બેઠકમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરેલી કામગીરીની સમીક્ષા

અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓને આપેલી સૂચના

પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓને આપેલી સૂચના મુજબ કચેરીમાં આવતા મુલાકાતીઓને દરરોજ બપોરે 12 થી 2 રૂબરૂ મળી તેમની રજૂઆત સાંભળવી તેમજ તે લેખીત અરજી આપે તો તે લઇને કાયદેસરની કાર્યવાહી કરવી. સંજોગોવશાત કોઇ અધિકારી હાજર ના હોય તો તેઓએ તેમના તાબામાં આવતા પીએસઆઇ, અંગત મદદનીશને અરજદારને સાંભળી તેની લેખિત અરજી લેવાની અને તે અધિકારી સમક્ષ વંચાણે મુકવાની સૂચના આપવી પડશે.

પોલીસ સ્ટેશનના પીઆઇને નાઈટ ડયુટી કરવાની હોય તે દિવસે તેઓ રાત્રે 9.30 વાગ્યે પોલીસ સ્ટેશન વિસ્તાર છોડી પરત રાત્રે 11 વાગ્યે ડયૂટી પર હાજર થઇ સવારે 5 વાગ્યે સુધી નાઇટ કરશે. નાઇટના બીજા દિવસે 12.30 વાગ્યે પરત ડયૂટી પર હાજર થવું પડશે. નાઇટ ના હોય તે દિવસે સવારે 10 વાગ્યે પોલીસ સ્ટેશન ખાતે પહોંચવાનું રહેશે. આ હુકમ ક્રાઇમબ્રાંચ, સાયબર ક્રાઇમ, મહિલા ક્રાઇમ પોલીસ સ્ટેશનો, ટ્રાફિક પોલીસ સ્ટેશન સહિત તમામને લાગુ પડશે.

અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આજે એક બેઠકમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરેલી કામગીરીની સમીક્ષા

આવા વધુ સમાચાર માટે જોતા રહો

GPSC Exam : જીપીએસસીની ક્લાસ ૧,૨ ની પરીક્ષા પર ઉઠયા સવાલ