નરોડા પાટીયા હત્યાકાંડમાં તમામ આરોપીઓ નિર્દોષ- હાઇકોર્ટમાં પડકારાશે

0
131

અમદાવાદના નરોડામાં હત્યા કેસમાં તમામ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ હત્યા કેસમાં કોર્ટે 86 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. ત્યારે 21 વર્ષ બાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો છે. ગોધરાકાંડ બાદ નરોડા  ગામમાં 11 વ્યક્તિઓની હત્યા થઈ હતી. જે હત્યા કેસમાં માયાબેન કોડનાની, જયદીપ પટેલ સહિત 86 લોકો સામે કેસ નોંધાયો હતો. ત્યારે આજે સ્પેશ્યલ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસનાં સ્પેશ્યલ જજ એસ બક્ષીએ ચુકાદો સંભળાવ્યો. ચુકાદો આવતા જ આરોપીઓ હર્ષનાં આંસુ સાથે કોર્ટ સંકુલ બહાર નીકળ્યા હતા. 21 વર્ષ બાદ આજે સ્પેશ્યલ કોર્ટે ચુકાદો આપ્યો. સ્પેશ્યલ કોર્ટમાં 7 વર્ષથી કેસ ચાલી રહ્યો હતો.જોકે આ કેસમાં  ટ્રાયલ દરમિયાન 17 આરોપીઓના મૃત્યુ થયા હતા સ્પેશિયલ કોર્ટ સમક્ષ 7 વર્ષથી દલીલો ચાલી રહી હતી. ત્યારે ફરિયાદી પક્ષના વકીલો હવે આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારશે તેવી વાત કહી રહ્યા છે,