અતીક-અશરફની હત્યા પર અખિલેશની પ્રતિક્રિયા,ઉત્તર પ્રદેશમાં અપરાધ ચરમસીમાએ

0
135

માફિયા અતીક અહેમદ અને અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાઓ પર અખિલેશ યાદવનું મોટું નિવેદન સામે આવ્યું . તેમણે ટ્વિટ કર્યું કે ઉત્તર પ્રદેશમાં અપરાધ ચરમસીમાએ પહોંચી ગયો છે અને ગુનેગારોનું મનોબળ ઉંચુ થઈ ગયું છે. પોલીસની સુરક્ષાની વચ્ચે ખુલ્લેઆમ ગોળીબાર કરીને કોઈની હત્યા થઈ શકે છે તો પછી સામાન્ય જનતાની સુરક્ષાનું શું? જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે, કેટલાક લોકો જાણી જોઈને આવું વાતાવરણ ઉભું કરી રહ્યા હોવાનું જણાય છે