Ahmedabad Shocker: ચાંદખેડા રહસ્યમય મોત કેસ ઢોસાના ખીરામાં નહીં પણ બ્લડ રિપોર્ટમાં મળી ઝેરી દવાની હાજરી, તપાસ હવે ‘હત્યા કે આત્મહત્યા’ તરફ

0
137
Ahmedabad Shocker
Ahmedabad Shocker

Ahmedabad Shocker: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે માસૂમ બાળકીઓના મોતના મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. અત્યાર સુધી જે ઘટનાને ફૂડ પોઈઝનિંગ માનવામાં આવતી હતી, તેમાં એફએસએલ (FSL) ના બ્લડ રિપોર્ટે પોલીસને પણ ચોંકાવી દીધી છે. માતા-પિતાના લોહીના નમૂનામાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ’ (અનાજમાં નાખવાની ઝેરી દવા) ની હાજરી મળી આવતા હવે આ કેસમાં હત્યા કે સામૂહિક આત્મહત્યાના પ્રયાસની આશંકા પ્રબળ બની છે.

Ahmedabad Shocker

Ahmedabad Shocker: બ્લડ રિપોર્ટે રહસ્ય ગૂંચવ્યું

3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રીના શંકાસ્પદ મોત બાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પિતા વિમલ પ્રજાપતિ અને માતા ભાવનાબેનના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રિપોર્ટમાં ઝેરી દવાની હાજરી મળી છે. પોલીસનું માનવું છે કે માત્ર ઢોસાનું ખીરું ખાવાથી આટલી ગંભીર અસર અને મોત શક્ય નથી. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દવા શરીરમાં ગઈ કેવી રીતે?

Ahmedabad Shocker: પોલીસની ‘મિનિટ ટુ મિનિટ’ તપાસ

ચાંદખેડા પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે:

  • CCTV ફૂટેજ: વિમલ પ્રજાપતિ ડેરી પરથી ખીરું લઈને સીધો ઘરે ગયો હતો કે રસ્તામાં ક્યાંય રોકાયો હતો? તેના માટે ડેરીથી ઘર સુધીના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે.
  • ડેરીની તપાસ: જો ખીરામાં સમસ્યા હોત તો અન્ય ગ્રાહકોને પણ અસર થવી જોઈતી હતી, પરંતુ અન્ય કોઈ કેસ સામે ન આવતા પોલીસને પરિવારના જ કોઈ સભ્ય પર શંકા છે.
  • ઘઉંમાં નાખવાની દવા: થોડા દિવસ પહેલા જ પિતા વિમલ પ્રજાપતિ ઘઉંમાં મૂકવાની દવા લાવ્યા હોવાનું સામે આવ્યું છે, જે રિપોર્ટ સાથે સુસંગત જણાય છે.

Ahmedabad Shocker: FSL એ પુરાવા કબજે કર્યા

એફએસએલની ટીમે પ્રજાપતિ પરિવારના ઘરમાંથી ચાદર, કપડાં, ખીરું ભરવાનું વાસણ અને બાળકોની દવાઓ સહિતની ચીજવસ્તુઓ કબજે કરી છે. ગત 7 એપ્રિલના રોજ 3 માસની બાળકી રાહાના મૃતદેહને પણ કબર (દફનવિધિ) માંથી બહાર કાઢીને પીએમ માટે મોકલવામાં આવ્યો હતો, જેથી શરીરમાં દવાની હાજરી છે કે નહીં તે જાણી શકાય.

Ahmedabad Shocker: શું છે આખી ઘટના?

ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ઘનશ્યામ ડેરીમાંથી ઢોસાનું ખીરું લાવ્યા હતા. આ ખીરું ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી, જેમાં બે બાળકીઓના કરુણ મોત નીપજ્યા હતા. શરૂઆતમાં ડેરીના ખીરા પર શંકા હતી, પરંતુ હવે તપાસનો છેડો ઘરના આંતરિક વિવાદ કે આર્થિક સંકડામણ તરફ હોઈ શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

આજવા રોડ પર એકતા નગરમાં પીસીબીનો દરોડો, ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા