અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટમાં ટૂંક સમયમાં ક્રૂઝ બોટ શરુ કરાશે

0
68

ક્રૂઝ બોટનું ૯૦ ટકા કામ પૂર્ણ, ૧૫૦થી વધુની ક્ષમતા

અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટને લઇ હાલમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ક્રૂઝ બોટ લાવવામાં આવી છે, જેનું સાબરમતી નદીમાં સફળતા પૂર્ણ લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ બોટનું 90 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે માત્ર ઇન્ટિરિયર અને ઇલેક્ટ્રિકનું કામ બાકી છે. ટૂંક જ સમયમાં અહીં ક્રુઝ બોટની સેવા શરૂ કરી દેવામાં આવશે. આ રિવર ક્રૂઝ બોટની ક્ષમતા 150થી વધુની છે. અહીં લોકો AC હોલ અને ઓપન ટેરેસમાં ડિનર કરવાનો આનંદ માણી શકશે.