એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મુસાફરે હંગામો મચાવ્યો

    0
    66

    સોમવારે દિલ્હીથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મુસાફરે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે ફ્લાઈટને દિલ્હી એરપોર્ટ પર પરત ફરવુ પડ્યું હતું.ફ્લાઈટમાં હોબાળો કરનાર પેસેન્જરને ફલાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યો હતો. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI111માં આશરે 225 મુસાફરો સવાર હતા. તેમાં એક ઉપદ્રવી વ્યક્તિએ ભારે માથાકૂટ કરી હતી. તેના પછી તેને એરપોર્ટ પર ઉતારી ફ્લાઇટને ફરીવાર લંડનના હીથ્રો એરપોર્ટ પર રવાના કરાઇ હતી. .