Home Buyers Alert: શહેરમાં પોતાનું ઘર ખરીદવાનું સપનું જોઈ રહેલા મધ્યમ વર્ગ અને રોકાણકારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રેડાઈ (CREDAI) દ્વારા લેવામાં આવેલા તાજેતરના નિર્ણય મુજબ, આગામી 1 જુલાઈ 2026 થી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. 400થી વધુ બિલ્ડરોની બેઠકમાં સર્વાનુમતે લેવાયેલા આ નિર્ણયને પગલે નવા અને ચાલુ પ્રોજેક્ટ્સના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવશે.
Home Buyers Alert: કેવી રીતે વધશે ભાવ?
ક્રેડાઈના જણાવ્યા અનુસાર, બાંધકામના સ્ટેજ મુજબ ભાવમાં વધારો અમલી બનશે:
- નવા પ્રોજેક્ટ્સ: જે પ્રોજેક્ટ્સ તાજેતરમાં શરૂ થયા છે, તેમાં સીધો 10% નો ભાવ વધારો ઝીંકવામાં આવશે.
- ચાલુ પ્રોજેક્ટ્સ: જે પ્રોજેક્ટ્સ પૂર્ણાહુતિના આરે છે અથવા પ્રગતિમાં છે, તેમાં સ્ટેજ પ્રમાણે 5% સુધીનો વધારો થશે.
Home Buyers Alert: કેમ લેવો પડ્યો આ નિર્ણય? (મુખ્ય કારણો)

પ્રોપર્ટીના ભાવ વધવા પાછળ વૈશ્વિક અને સ્થાનિક એમ બંને પરિબળો જવાબદાર છે:
- વૈશ્વિક યુદ્ધ અને મોંઘવારી: મધ્ય પૂર્વ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે. સિમેન્ટ, સ્ટીલ અને અન્ય રૉ મટીરિયલ્સના ભાવમાં 30% થી 50% સુધીનો વધારો થયો છે.
- મજૂરોની અછત: અન્ય રાજ્યોમાં ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પણ પરપ્રાંતીય મજૂરો હજુ પૂરતી સંખ્યામાં પરત ફર્યા નથી. લેબરની આ તંગીને કારણે બાંધકામની ગતિ ધીમી પડી છે અને પ્રોજેક્ટ કોસ્ટ વધી રહી છે.
- સમયમર્યાદાની સમાપ્તિ: અગાઉ ડેવલપર્સ દ્વારા 30 જૂન 2026 સુધી ભાવ સ્થિર રાખવાની ખાતરી અપાઈ હતી, જેની મુદત હવે પૂર્ણ થઈ રહી છે.
Home Buyers Alert: રેરા (RERA) પાસે સમયમર્યાદા વધારવા માંગ
બાંધકામમાં વિલંબ થતાં બિલ્ડરોને રેરાના નિયમો મુજબ દંડ થવાની ભીતિ છે. આથી, ક્રેડાઈ દ્વારા સરકાર અને રેરા ઓથોરિટીમાં રજૂઆત કરવામાં આવી છે કે ‘ફોર્સ મેજર’ (અસાધારણ સંજોગો) હેઠળ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમયમર્યાદા વધારી આપવામાં આવે.
નિષ્ણાતોનું માનવું છે કે: જો અત્યારે યુદ્ધ વિરામ થાય તો પણ સપ્લાય ચેઈન અને માર્કેટને સામાન્ય થતા 9 થી 12 મહિનાનો સમય લાગી શકે છે. આ સંજોગોમાં જૂન અંત સુધીનો સમય ગ્રાહકો માટે જૂના ભાવે પ્રોપર્ટી બુક કરાવવાની છેલ્લી તક સાબિત થઈ શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: જેતપુરમાં અરેરાટી ચારણિયા ગામે રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતાં અઢી વર્ષના માસૂમનું મોત




