Usman Hadi Murder Case:પશ્ચિમ બંગાળ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ એક મોટી સફળતા મેળવતા બાંગ્લાદેશી નેતા ઉસ્માન હાદીની હત્યાના કેસમાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક આવેલા બોનગાંવ વિસ્તારમાંથી કરવામાં આવી છે.
Usman Hadi Murder Case:ધરપકડની વિગતો

STF એ 7 અને 8 માર્ચની મધ્યરાત્રિએ ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડીને બે શખ્સોને દબોચી લીધા હતા:
- રાહુલ ઉર્ફે ફૈઝલ કરીમ મસૂદ (37) – રહેવાસી: પટુઆખાલી, બાંગ્લાદેશ.
- આલમગીર હુસૈન (34) – રહેવાસી: ઢાકા, બાંગ્લાદેશ.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, બંને આરોપીઓ મેઘાલય સરહદ પરથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા અને પશ્ચિમ બંગાળના બોનગાંવમાં છુપાયા હતા. તેઓ યોગ્ય તકની રાહ જોઈ રહ્યા હતા જેથી ફરીથી બાંગ્લાદેશ ભાગી શકે, પરંતુ તે પહેલા જ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. રવિવારે કોર્ટે બંનેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
Usman Hadi Murder Case:કોણ હતા ઉસ્માન હાદી અને તેમની હત્યા કેવી રીતે થઈ?
ઉસ્માન હાદી બાંગ્લાદેશના પ્રભાવશાળી ઇસ્લામિક સંગઠન ‘ઇન્કલાબ મંચ’ ના પ્રવક્તા હતા.
- હુમલો: 12 ડિસેમ્બરના રોજ ઢાકામાં જ્યારે હાદી રિક્ષામાં જઈ રહ્યા હતા, ત્યારે બાઇક સવાર હુમલાખોરોએ તેમને ગોળી મારી હતી.
- મૃત્યુ: ગંભીર હાલતમાં તેમને સિંગાપોર સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં 18 ડિસેમ્બરે તેમનું નિધન થયું હતું.
નોંધનીય બાબત: ઉસ્માન હાદી ભારત વિરોધી વલણ માટે જાણીતા હતા. હુમલાના ગણતરીના કલાકો પહેલા જ તેમણે ‘ગ્રેટર બાંગ્લાદેશ’નો નકશો શેર કર્યો હતો, જેમાં ભારતના ઉત્તર-પૂર્વના સાત રાજ્યો (7 Sisters) ને બાંગ્લાદેશના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
બાંગ્લાદેશમાં મચેલો ખળભળાટ

હાદીની હત્યા બાદ બાંગ્લાદેશમાં ભારે હિંસા ફાટી નીકળી હતી.
- પ્રદર્શનકારીઓએ અગ્રણી અખબારો ‘ડેઇલી સ્ટાર’ અને ‘પ્રોથોમ આલો’ ની ઓફિસોમાં તોડફોડ કરી આગ ચાંપી હતી.
- ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી મોહિબુલ હસન ચૌધરીના ઘરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.
ઇન્કલાબ મંચનો પ્રભાવ
ઓગસ્ટ 2024 ના વિદ્યાર્થી આંદોલન બાદ ઉભરી આવેલા આ સંગઠને શેખ હસીનાની સરકારને ઉથલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મે 2025 માં અવામી લીગને ચૂંટણી માટે ગેરલાયક ઠેરવવામાં પણ આ સંગઠનનો મોટો હાથ રહ્યો હતો.
આ પણ વાંચો :”67 હજાર ભારતીયોની ઘરવાપસી, દરેક નાગરિકની સુરક્ષા અમારી પ્રાથમિકતા” – સંસદમાં એસ. જયશંકર




