Home Desh Neighbourhood Diplomacy:પૂર્વ બાંગ્લાદેશ PM ખાલિદા ઝિયાનું નિધન, અંતિમ સંસ્કારમાં જશે વિદેશ મંત્રી...

Neighbourhood Diplomacy:પૂર્વ બાંગ્લાદેશ PM ખાલિદા ઝિયાનું નિધન, અંતિમ સંસ્કારમાં જશે વિદેશ મંત્રી જયશંકર

0
394
Diplomacy
Diplomacy

Neighbourhood Diplomacy: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના વડા બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થયું છે. પડોશી દેશમાં ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે ભારત તરફથી મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઢાકા જશે, જેથી ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં સંવેદનશીલતા અને પાડોશી ધર્મનું પાલન દર્શાવવામાં આવ્યું છે.

Neighbourhood Diplomacy

Neighbourhood Diplomacy: 80 વર્ષની વયે હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ખાલિદા ઝિયા છેલ્લા લાંબા સમયથી લિવર સંબંધિત બીમારી, ડાયાબિટીસ અને હૃદયરોગથી પીડાઈ રહ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. BNPએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં જણાવ્યું હતું કે ફજરની નમાઝ બાદ સવારે 6 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનથી બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસના એક મહત્વના અધ્યાયનો અંત આવ્યો છે.

Neighbourhood Diplomacy: હવે પુત્ર તારિક રહેમાન સંભાળશે BNP

ખાલિદા ઝિયાના નિધન બાદ હવે BNPની કમાન તેમના પુત્ર તારિક રહેમાનના હાથમાં રહેશે. તેઓ અત્યાર સુધી પાર્ટીના કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. શેખ હસીના શાસનકાળ દરમિયાન જેલની સજાના ભયને કારણે તેઓ દેશ બહાર રહ્યા હતા, પરંતુ 17 વર્ષ બાદ તાજેતરમાં બાંગ્લાદેશ પરત ફર્યા હતા.

પતિના અવસાન બાદ રાજકારણમાં પ્રવેશ

30 મે, 1981ના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ અને ખાલિદા ઝિયાના પતિ જનરલ ઝિયાઉર રહેમાનની ચિત્તગોંગમાં લશ્કરી બળવાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. તે સમયે ખાલિદા ઝિયા ગૃહિણી હતા. પતિના અવસાન બાદ તેમણે BNPનું નેતૃત્વ સંભાળ્યું અને સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ તેમણે બાંગ્લાદેશના રાજકારણમાં એક પ્રબળ અને પ્રભાવશાળી નેતા તરીકે પોતાની ઓળખ બનાવી.

ભારતનો સંવેદનશીલ સંદેશ

વિદેશ મંત્રી જયશંકરની અંતિમ સંસ્કારમાં હાજરી ભારત તરફથી સંવેદનશીલતા, સન્માન અને પાડોશી દેશ સાથેના સંબંધોને મહત્વ આપવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે. આ પગલું બંને દેશો વચ્ચેના રાજનૈતિક સંબંધોમાં મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે.

આ પણ વાંચો :India Pakistan Conflict Risk in 2026:CFR રિપોર્ટમાં દાવો: ભારત-પાકિસ્તાન વચ્ચે 2026માં સંઘર્ષની શક્યતા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે