Anganwadi Workers:ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આંગણવાડી કાર્યકરોને નિમણૂકપત્ર એનાયત સમારોહ રાજ્યભરમાં ભવ્ય રીતે યોજાયો. આ પ્રસંગે રાજ્યની 9000થી વધુ આંગણવાડી અને તેડાગર બહેનોને રોજગારની નવી તક મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો. ગુજરાતના ચાર મહાનગરો—અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા—માં એકસાથે નિમણૂકપત્ર વિતરણ કરવામાં આવ્યું. જેમાં અમદાવાદમાં 3458, રાજકોટમાં 2330, સુરતમાં 1530 અને વડોદરામાં 1874 બહેનોને નિમણૂકપત્રો મળ્યા.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં હાલ 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે અને માત્ર આ વર્ષે જ 1600 જેટલા આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પૂર્ણ થયા છે. સાથે જ તેમણે જાહેરાત કરી કે આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં વધુ 10,000થી વધારે આંગણવાડી અને નંદઘરોના બાંધકામનું આયોજન કરવામાં આવ્યું છે. આ સુવિધાઓથી બાળકોની પ્રાથમિક સંભાળ, પોષણ અને પ્રારંભિક શિક્ષણ ક્ષેત્રે મોટું યોગદાન મળશે.
Anganwadi Workers:બહેનોને પ્રેરણા આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે

શિક્ષણ અને પોષણ અમારી સરકારની પ્રાથમિકતા છે. પોષણ અભિયાનમાં આંગણવાડી બહેનોની ભૂમિકા ચાવીરૂપ છે. બાળમાનસના ઘડતરમાં તેઓ માતા યશોદા જેવી સેવા આપે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ આંગણવાડી બહેનોના ગૌરવમાં વધારો કરવા માટે **‘માતા યશોદા પુરસ્કાર’**ની શરૂઆત કરી છે.
રાજ્ય સરકારના આ પ્રયાસોને મહિલા સશક્તિકરણ, બાળ કલ્યાણ અને પોષણ અભિયાનને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યા છે.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો
Dollar vs Rupee:ગરકાવ રૂપિયો! 90.41 સુધી ગબડી ભારતીય કરન્સી




