Home Politics Anganwadi Workers:બાળકલ્યાણને વેગઃ રાજ્યભરમાં 9000 આંગણવાડી બહેનોની નિમણૂક પૂર્ણ

Anganwadi Workers:બાળકલ્યાણને વેગઃ રાજ્યભરમાં 9000 આંગણવાડી બહેનોની નિમણૂક પૂર્ણ

0
453
Anganwadi Workers
Anganwadi Workers

Anganwadi Workers:ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આંગણવાડી કાર્યકરોને નિમણૂકપત્ર એનાયત સમારોહ રાજ્યભરમાં ભવ્ય રીતે યોજાયો. આ પ્રસંગે રાજ્યની 9000થી વધુ આંગણવાડી અને તેડાગર બહેનોને રોજગારની નવી તક મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો. ગુજરાતના ચાર મહાનગરો—અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા—માં એકસાથે નિમણૂકપત્ર વિતરણ કરવામાં આવ્યું. જેમાં અમદાવાદમાં 3458, રાજકોટમાં 2330, સુરતમાં 1530 અને વડોદરામાં 1874 બહેનોને નિમણૂકપત્રો મળ્યા.

Anganwadi Workers

મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં હાલ 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે અને માત્ર આ વર્ષે જ 1600 જેટલા આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પૂર્ણ થયા છે. સાથે જ તેમણે જાહેરાત કરી કે આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં વધુ 10,000થી વધારે આંગણવાડી અને નંદઘરોના બાંધકામનું આયોજન કરવામાં આવ્યું છે. આ સુવિધાઓથી બાળકોની પ્રાથમિક સંભાળ, પોષણ અને પ્રારંભિક શિક્ષણ ક્ષેત્રે મોટું યોગદાન મળશે.

Anganwadi Workers:બહેનોને પ્રેરણા આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે

Screenshot 2025 12 04 161152

શિક્ષણ અને પોષણ અમારી સરકારની પ્રાથમિકતા છે. પોષણ અભિયાનમાં આંગણવાડી બહેનોની ભૂમિકા ચાવીરૂપ છે. બાળમાનસના ઘડતરમાં તેઓ માતા યશોદા જેવી સેવા આપે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ આંગણવાડી બહેનોના ગૌરવમાં વધારો કરવા માટે **‘માતા યશોદા પુરસ્કાર’**ની શરૂઆત કરી છે.

રાજ્ય સરકારના આ પ્રયાસોને મહિલા સશક્તિકરણ, બાળ કલ્યાણ અને પોષણ અભિયાનને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યા છે.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

Dollar vs Rupee:ગરકાવ રૂપિયો! 90.41 સુધી ગબડી ભારતીય કરન્સી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે