PM Modi:ગુજરાત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક દિવસીય પ્રવાસથી ગુંજી ઉઠ્યો. સુરત એરપોર્ટ પર આગમન બાદ PM મોદી હેલિકોપ્ટર મારફતે અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાતે પહોંચી અને પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી. ત્યારબાદ તેઓ સીધા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા જતા રહ્યા, જ્યાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે વિશાળ જનસભા યોજાઈ.

PM Modi:દેવમોગરા માતાના દર્શન કરીને પ્રારંભ
PM મોદી સૌપ્રથમ સાગબારામાં દેવમોગરા પાંડોરી માતાના મંદિરે પહોંચ્યા અને પૂજા-અર્ચના કરી. ગુજરાત, મહારાષ્ટ્ર, MP અને રાજસ્થાનના આદિવાસી સમુદાય માટે પાંડોરી માતાનું વિશેષ મહત્વ હોવાથી PMનો આ કાર્યક્રમ અત્યંત પ્રતીકાત્મક માનવામાં આવે છે.

હજારો આદિવાસીઓની હાજરીમાં ભવ્ય રોડ-શો
મંદિર દર્શન બાદ પીએમ મોદી કેસરિયા સાફો પહેરીને ડેડિયાપાડામાં રોડ-શો માટે નીકળ્યા. રસ્તાના કિનારે હજારો આદિવાસી લોકો ઉમટી પડ્યા હતા. દંડિયા, નૃત્ય, પરંપરાગત વાદ્યો અને જાતિગીતોની રંગોળીમાં રોડ-શો એક સાંસ્કૃતિક મહોત્સવમાં ફેરવાઈ ગયો.
વિવિધ જગ્યાએ PM મોદીને આવકારવા લોકોએ પરંપરাগত વસ્ત્રોમાં ઉત્સાહી હાજરી આપી.
PM Modi:₹9,700 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
ડેડિયાપાડા ખાતે યોજાનારી મુખ્ય સભામાં PM કુલ ₹9,700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સ, જેમાં—
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ
- માર્ગ અને પાણી પ્રોજેક્ટ
- આદિવાસી વિસ્તારો માટેના વિકાસ કાર્યો
- હેલ્થ, એજ્યુકેશન અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ
નો ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ વિકાસ કાર્યોને લઈને વિશાળ જનસભાને સંબોધિત પણ કરશે.
PM Modi:PMનો સુધારેલો કાર્યક્રમ: બિહારના લોકો સાથે મુલાકાત
દિવસના અંતે PM મોદી સુરત એરપોર્ટ પર બિહારી સમુદાયના 10–15 હજારથી વધુ લોકો સાથે મુલાકાત કરશે. એરપોર્ટ પર તેમની આવક માટે વિશાળ તૈયારીઓ થઈ છે, જ્યાં કેન્દ્રિય મંત્રી CR પાટિલ અને હર્ષ સંઘવી પણ હાજર રહેશે.
પ્રવાસ દરમિયાન બંને વિકલ્પ તૈયાર: હેલિકોપ્ટર અથવા બાય રોડ
સુરત–નર્મદા વિસ્તારમાં બેવડા હવામાનને ધ્યાનમાં રાખીને PM માટે હેલિકોપ્ટર અને બાય રોડ બંને પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ સાથે સમગ્ર તંત્ર સતર્ક છે.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો




