Home Breaking News “Jai Palestine” : ભારતીય સંસદમાં લાગ્યા જય પેલેસ્ટાઈનના નારા

“Jai Palestine” : ભારતીય સંસદમાં લાગ્યા જય પેલેસ્ટાઈનના નારા

0
1120
"Jai Palestine"
"Jai Palestine"

“Jai Palestine” :  લોકસભાના વિશેષ સત્રમાં તમામ ચૂંટાયેલા સાંસદો સંસદના સભ્યપદના શપથ લઈ રહ્યા છે. ત્યારે એઆઈએમઆઈએમ ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ ઉર્દૂમાં શપથ લીધા હતા અને બહાર નીકળતી વખતે ઓવૈસીએ જય ભીમ, જય તેલંગાણાના નારા લગાવ્યા હતા ત્યારબાદ અચાનક તેમણે જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. અસદુદ્દીન ઓવૈસીના વિવાદાસ્પદ શપથ ગ્રહણ બાદ  ભાજપના સાંસદોએ સંસદમાં હંગામો શરુ કર્યો હતો, અને વિરોધ નોંધાવ્યો હતો .

"Jai Palestine"

“Jai Palestine” :  હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીના જય પેલેસ્ટાઈનના નારા પર હોબાળો થયો છે. ભારતીય જનતા પાર્ટીએ આનો વિરોધ કર્યો છે. બીજી તરફ ઓવૈસીનું કહેવું છે કે તેમને જે કહેવું હતું તે કહી દીધું છે.  તેના પર પ્રોટેમ સ્પીકરે કહ્યું કે જો ઓવૈસીએ કંઈ પણ વાંધાજનક કહ્યું હશે તો તેને કાર્યવાહીના રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવશે. ઓવૈસી હૈદરાબાદથી લોકસભા માટે ચૂંટાયા છે. તેઓ પાંચમી વખત સાંસદ બન્યા છે.  ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ તેલંગાણાની હૈદરાબાદ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર માધવી લતાને 338087 મતોથી હરાવ્યા છે.

“Jai Palestine” : મારે જે કહેવું હતું… મેં કહ્યું : ઓવૈસી

ઓવૈસીએ સંસદની બહાર પોતાના સૂત્રોચ્ચાર પર મીડિયાને જવાબ આપ્યો. તેમણે કહ્યું કે અમે જય ભીમ, જય મીમ, જય તેલંગાણા અને જય પેલેસ્ટાઈન કહ્યું છે. ઓવૈસીએ કહ્યું કે આ કેવી રીતે બંધારણની વિરુદ્ધ છે. જે લોકોએ પહેલા નથી કહ્યું… તે પણ પહેલા સાંભળવું જોઈએ. ઓવૈસીએ કહ્યું કે જે કહેવું હતું તે કહી દીધું…  

“Jai Palestine” : પેલેસ્ટાઈન સાથે અમારી કોઈ દુશ્મની નથી

સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું, “અમારી પેલેસ્ટાઈન કે અન્ય કોઈ દેશ પ્રત્યે કોઈ દુશ્મની નથી. શું કોઈ સભ્ય માટે શપથ લેતી વખતે બીજા દેશની પ્રશંસામાં નારા લગાવવા યોગ્ય છે? આપણે નિયમોની તપાસ કરવી પડશે કે તે યોગ્ય છે.” બીજી તરફ, પ્રોટેમ સ્પીકરે કાર્યવાહીમાંથી ઓવૈસીના નારા હટાવવાનું કહ્યું છે.

“Jai Palestine” : ગૃહના નિયમો વિરુદ્ધ સૂત્રોચ્ચાર

"Jai Palestine"

કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું, “એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસી દ્વારા આજે સંસદમાં લગાવવામાં આવેલ ‘જય પેલેસ્ટાઈન’નો નારા એકદમ ખોટો છે. તે ગૃહના નિયમોની વિરુદ્ધ છે. ભારતમાં રહીને તેઓ ‘ભારત માતા કી જય’ ના નારા લગાવી નથી શકતા પણ પેલેસ્ટાઈનના વખાણ કરે છે કે આ લોકો દેશમાં રહીને કેવી રીતે ગેરબંધારણીય કામ કરે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે