HomeUncategorizedManipur Violence Case: "ઓળખાયેલા મૃતકોને 3 દિવસમાં દફનાવવામાં આવે"- મૃતદેહોને શબગૃહમાં રાખવા...

Manipur Violence Case: “ઓળખાયેલા મૃતકોને 3 દિવસમાં દફનાવવામાં આવે”- મૃતદેહોને શબગૃહમાં રાખવા પર સુપ્રીમની ટકોર

Manipur Violence Case : સુપ્રીમ કોર્ટમાં મણિપુર હિંસા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ (Supreme Court Over Manipur Violence Dead Body Cremation) એ શબઘરમાં રાખવામાં આવેલા મૃતદેહો પર હસ્તક્ષેપ કર્યો અને કહ્યું કે અમે મૃતદેહોને ઉકળતા કઢાઈ પર રાખવા માંગતા નથી. કોર્ટે મૃતદેહોને દફનાવવાના નિર્દેશ પણ જારી કર્યા છે. કોર્ટે કહ્યું કે, જે મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે તેના સંબંધીઓ ત્રણ દિવસમાં 9 સ્થળ પર તેમને દફનાવી શકે છે, જ્યારે ઓળખાયેલા મૃતદેહોના નજીકના સંબંધીઓને 4 દિવસની અંદર જાણ કરવામાં આવે.

SoP હેઠળ મૃતદેહોને દફનાવવાનો આદેશ :

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે જે મૃતદેહોની ઓળખ થઈ નથી તેમને સ્થાનિક કલેક્ટરની દેખરેખ હેઠળ દફનાવવામાં આવે. મૃતદેહોને સન્માન સાથે અને સામુદાયિક રિવાજો મુજબ SoP મુજબ દફનાવવામાં આવે. સુનાવણી દરમિયાન CJI DY ચંદ્રચુડે અરજદાર તરફથી હાજર રહેલા કોલિન ગોન્સાલ્વિસને પૂછ્યું કે, તમે મૃતદેહોને દફનાવવામાં કેમ અવરોધ ઉભો કરી રહ્યા છો. આ મૃતદેહોને અનિશ્ચિત સમય સુધી પડી રહેવાની મંજૂરી આપી શકાય નહીં. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારે 9 સ્થળોની ઓળખ કરી છે અને કહ્યું છે કે આ જગ્યાઓ પર મૃતદેહોને (Manipur Violence) દફનાવી શકાય છે.

M 1anipur 1

કોર્ટે કહ્યું કે સિવિલ સોસાયટી આગ્રહ કરી રહી છે કે મૃતદેહોને કેટલીક અજાણી જગ્યાઓ પર દફનાવવામાં આવે, તેનાથી તણાવ પેદા થઈ શકે છે. એટલા માટે મૃતદેહોને 9 નિર્ધારિત સ્થળોએ જ દફનાવવામાં આવે. કોર્ટે આ માટે 2 અઠવાડિયાનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે જો આ સમય રેખામાં આ કરવામાં નહીં આવે તો તે રાજ્ય સરકારને ધારાધોરણો અનુસાર મૃતદેહોને દફનાવવાનું કહેશે.

મૃતદેહ લેતા પરિવારજનો વચ્ચે કોઈએ આવવું ન જોઈએ – તુષાર મહેતા

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે, લોકોને પોતાના નિર્ણય જાતે લેવા દેવા. જો પરિવારના કોઈપણ સભ્ય મૃતદેહ લેવા ઈચ્છે તો જૂથો તેમને મૃતદેહ ન સ્વીકારવા ધમકીઓ આપે છે. કોર્ટ આદેશ આપી શકે છે કે જો પરિવારનો કોઈ સભ્ય મૃતદેહ લેવા માંગતો હોય તો વચ્ચે કોઈ આવશે નહીં.

169 મૃતદેહોની ઓળખ થઈ – CJI

CJI ચંદ્રચુડે કહ્યું કે; સમિતિએ કહ્યું છે કે 175 મૃત નોંધાયા છે. 169 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. પરિજનોએ 81 મૃતદેહોનો દાવો કર્યો છે. 94 મૃતદેહો છે જેનો દાવો કરવામાં આવ્યો નથી.

ઓળખાયેલા મૃતદેહોના સંબંધીઓ મૃતદેહોનો દાવો કરવા તૈયાર છે, પરંતુ કેટલાક નાગરિક સમાજીક સંગઠનો તેમને અટકાવી રહ્યાં છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત જસ્ટિસ ગીતા મિત્તલ કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે 88 મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે, પરંતુ ત્યાં કામ કરતા એનજીઓ તેમાં અવરોધ ઉભી કરી રહ્યા છે, જ્યારે તેમના પરિવારજનો અંતિમ સંસ્કાર કરવા માટે તૈયાર છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments