Home Desh મુંબઈમાં હવા પ્રદુષણને કારણે લોકોની હાલત ખરાબ થઈ

મુંબઈમાં હવા પ્રદુષણને કારણે લોકોની હાલત ખરાબ થઈ

0
496
મુંબઈમાં હવા પ્રદુષણને કારણે લોકોની હાલત ખરાબ થઈ
મુંબઈમાં હવા પ્રદુષણને કારણે લોકોની હાલત ખરાબ થઈ

મુંબઈમાં હવા પ્રદુષણને કારણે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે કોસ્ટલ એર કંટ્રોલ ડિવિઝનના સુમિત દલચંદ પાટીલ, એક NGO ચલાવે છે. જે મુંબઈમાં પ્રદૂષણ પર નજર રાખે છે અને આ દિશામાં કામ કરે છે, કહે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં તમામ પ્રકારનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે. તેમનું માનવું છે કે મુંબઈમાં વાયુ પ્રદૂષણના મુખ્ય કારણોમાં પાવર જનરેશન પ્લાન્ટ્સ પણ મોટી ભૂમિકા ભજવે છે.

દિલ્હી અને એનસીઆરના વાતાવરણમાં ઝેરી હવાના કણોની સંખ્યા દેશની આર્થિક રાજધાની મુંબઈની સરખામણીએ ઘણી ખતરનાક છે. વૈજ્ઞાનિકોના મતે જો આવી જ સ્થિતિ ચાલુ રહેશે તો દિલ્હી એનસીઆર કરતા દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ ખતરનાક સ્થિતિ સર્જાઈ શકે છે. હાલમાં, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિત આ દિશામાં કામ કરતી તમામ એજન્સીઓએ આ શહેરો માટે માત્ર ચેતવણી જ નથી આપી, પરંતુ તેમને આવા વિસ્તારોમાં થઈ રહેલા અંધાધૂંધ બાંધકામ પર નજર રાખવા અને જરૂર પડે તો તેને રોકવા માટે પણ કહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈ જેવા મેટ્રોપોલિટન શહેરોમાં હવાની ગુણવત્તા સૌથી ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે.

જે રીતે છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે, તે જ રીતે દરિયાઈ વિસ્તારોમાં આવેલા શહેરોમાં AQI સ્તર પણ ‘વેરી પુઅર’ની શ્રેણીમાં પહોંચી ગયું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા મુજબ મુંબઈ અને ચેન્નાઈ જેવા શહેરોમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના એર પોલ્યુશન કંટ્રોલ યુનિટના પ્રિન્સિપલ પ્રોગ્રામ મેનેજર વિવેક ચટ્ટોપાધ્યાય કહે છે કે મુંબઈ અને ચેન્નઈ જેવા શહેરોમાં સતત વધી રહેલું પ્રદૂષણ ખૂબ જ ખતરનાક સંકેત છે. તેની પાછળનું કારણ આપતા તેઓ કહે છે કે મુંબઈમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 350ની નજીક પહોંચી ગયો છે, જે આગામી દિવસોમાં વધુ વધી શકે છે. તેમનું કહેવું છે કે આ સૌથી મોટી ચિંતાનો વિષય છે કારણ કે દરિયા કિનારે વસેલા શહેરો અને રાજ્યો હંમેશાથી એ વાતથી વાકેફ છે કે દરિયાઈ પવનને કારણે આ શહેરોમાં પ્રદૂષણ ઓછું થાય છે. પરંતુ શહેરોમાં સતત વધી રહેલા બાંધકામ અને વાહનોની સંખ્યાને કારણે દરિયાઈ પવન આ શહેરોમાં પ્રદૂષણને દૂર કરી શકાતો નથી.ત્યારે દિલ્હી બાદ મુંબઈમાં હવા પ્રદુષણને કારણે લોકોની હાલત ખરાબ થઈ રહી છે.

વાંચો અહીં ગાંધીનગર જિલ્લામાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે