સુરતની લાજપોર જેલનું 100 ટકા પરિણામ

0
126

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 13 ટકા ઓછુ પરિણામ આવ્યું છે.ત્યારે સુરતની લાજપોર જેલનું 100 ટકા પરિણામ આવ્યું છે.લાજપોર જેલમાંથી 14 કેદીઓએ પરીક્ષા આપી હતી.જમાંથી તમામ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થતા લાજપોર જેલનું 100 ટકા પરિણામ આવ્યું છે. લાજપોર મધ્યસ્થ જેલનું ધોરણ 10નું 93 ટકા જેટલું પરિણામ આવ્યુ હતું.ત્યારે લાજપોર જેલમાં  ધોરણ 12ની પરીક્ષા આપનાર તમામ કેદીઓ ઉત્તીર્ણ થયા છે.