મમતાએ અતીકની હત્યાને બેશરમ અરાજકતા કહી

0
629

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ અતીકની હત્યાને મામલે રાજય સરકાર પર નિશાન સાધ્યું છે. એક ટ્વિટ દ્વારા તેમણે રાજ્યમાં વધી રહેલી અરાજકતા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ ઘટના ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની પતન દર્શાવે છે.માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શનિવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.